
કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ટોચા ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની તબિયત બગડી છે. શુક્રવારે વહેલી સવારે તેમને ૐદ્ગ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એરલિફ્ટ કરીને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
૯૧ વર્ષીય કોકિલાબેન અંબાણીની તબિયત બગડ્યા બાદ, તેમને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની આખી ટીમ તેમની સારવારમાં રોકાયેલી છે. હાલમાં, પરિવાર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આખો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો છે. મુકેશ અંબાણી સવારે કાલિની એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. અનિલ અંબાણી તેમની પત્ની ટીના અંબાણી સાથે HN રિલાયન્સ હોસ્પિટલમાં જાેવા મળ્યા હતા.
કોકિલાબેન અંબાણીની અચાનક તબિયત બગડવાને કારણે આખો અંબાણી પરિવાર હોસ્પિટલ પહોંચી રહ્યો છે. હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. તમને જણાવી દઈએ કે કોકિલાબેન અંબાણી ધીરુભાઈ અંબાણીના પત્ની છે. તેમણે ૧૯૫૫ માં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. કોકિલાબેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરહોલ્ડર છે.હાલમાં કોકિલાબેન તેમના મોટા દીકરા મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે. કોકિલાબેન અંબાણી પરિવારના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ૦.૨૪% શેર છે, જે લગભગ ૧,૫૭,૪૧,૩૨૨ શેર છે. વર્તમાન શેર ભાવ મુજબ, તેમની સંપત્તિ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.
