
આ અવસરે શ્રી સંઘાણીએ તાજેતરમાં પૂર્ણ થયેલા અમેરિકા પ્રવાસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અનુભવો અને તારણોની માહિતી આપી. અમેરિકામાં કૃષિ નવીનીકરણ, સહકારી મોડલ, કૃષિ વ્યવસાય વિકાસ, ટેક્નોલોજી હસ્તાંતરણ તથા ખેડૂતકેન્દ્રિત પહેલો અંગે થયેલી ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓથી મંત્રીશ્રીને જાણકારી આપેલ.

બેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ, સહકારિતા, કૃષિ વ્યવસાય, ખાદ્ય સુરક્ષા, કૃષિ ટેક્નોલોજી અને ખેડૂત સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહકાર અને ભાગીદારી અંગે અર્થપૂર્ણ ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે જ્ઞાન, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાનને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
શ્રી સંઘાણીએ કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે શ્રી ચૌહાણના દૂરદર્શી નેતૃત્વ, ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને કૃષિ ક્ષેત્રમાં નવીનતા તથા સુધારાઓને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વ હેઠળ ભારતનું કૃષિ અને સહકારી ક્ષેત્ર નવી ઊંચાઈઓ હાંસલ કરશે તથા ખેડૂતોની આવક, ઉત્પાદકતા અને સમૃદ્ધિ વધારવામાં મહત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત કરશે.
આ મુલાકાતને ભારતના કૃષિ અને સહકારી ક્ષેત્રને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે જોડવા અને ખેડૂતોના હિતમાં આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.



