
દાઝેલા દર્દીઓ માટે સેવાનું નવું સોપાન સર કર્યું.અમદાવાદ સિવિલ હોસ્પિટલે સ્કીન બેંક દ્વારા ૨૯મું ત્વચાદાન.પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોની ટીમે મનોજભાઈના બરડાના ભાગેથી ત્વચા મેળવી હતી.અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય મનોજકુમાર જશવંતસિંહ ચૌહાણના નિધને તેમના પરિવારને ઘેરા શોકમાં ડુબાડી દીધો, પરંતુ આ દુ:ખની ઘડીમાં પણ પરિવારે એક એવો ર્નિણય લીધો જેણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મનોજભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વજન ગુમાવ્યાના આઘાત વચ્ચે પણ તેમના કાકાના દીકરા હર્ષ શાહ અને અન્ય પરિવારજનોએ મનોજભાઈના ત્વચાદાન અને ચક્ષુદાન કરવાનો ઉમદા ર્નિણય લીધો હતો.
આ ર્નિણય અંતર્ગત સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મનોજભાઈની બે આંખો અને તેમની ત્વચાનું દાન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોની ટીમે મનોજભાઈના બરડાના ભાગેથી ત્વચા મેળવી હતી.સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જાેષીએ આ સેવાકાર્યની વિગતો આપતા જણાવ્યું કે, હોસ્પિટલમાં સ્કીન બેંક શરૂ થયા બાદ અત્યાર સુધીમાં આ ૨૯મું સ્કીન ડોનેશન છે. મનોજભાઈના પરિવારે આપેલી બે આંખોના દાન સાથે સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૬૨ આંખોનું દાન મળ્યું છે. આમ, સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૯૧ જેટલી પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે, જે સમાજમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જનજાગૃતિ દર્શાવે છે. ડો. જાેશીએ વધુમાં નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે દર્દીના મૃત્યુના ૬ કલાકમાં આંખો અને ત્વચાનું દાન થઈ શકે છે. અમારી ટીમ અમદાવાદ તથા ગાંધીનગરમાં ઘરે આવીને પણ આ દાન સ્વીકારે છે.
પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડાના જણાવ્યા અનુસાર, ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓ માટે સ્કીન ગ્રાફ્ટિંગ આશીર્વાદરૂપ સાબિત થાય છે અને તેનાથી સારવારમાં ખૂબ જ સારા પરિણામો મેળવી શકાય છે. મનોજભાઈના પરિવારે લીધેલા આ ર્નિણયથી કોઈકની અંધારી દુનિયામાં પ્રકાશ રેલાશે તો કોઈક દાઝી ગયેલા દર્દીને નવું જીવન મળશે.
સમાજમાં અંગદાન અને પેશીદાનનો મહિમા વધે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ સ્કીન દાન માટે સ્કીન બેંકના હેલ્પલાઇન નંબર ૯૪૨૮૨૬૫૮૭૫ પર સંપર્ક કરી આ પુણ્યશાળી કાર્યમાં સહભાગી બની શકે છે.




