
હોર્મુઝ જળમાર્ગ પર ર્નિણય લેવાશે અમેરિકા-ઈરાન બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સહમત થયાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે હું બે અઠવાડિયા માટે ઈરાન પર બોમ્બવર્ષા અને હુમલાઓને સ્થગિત કરવા માટે સહમત છું
અમેરિકા મંગળવારે કઈક એવું કરશે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય…બસ આ ડરના કારણે આખા વિશ્વના શ્વાસ અદ્ધ્રર થઈ ગયા હતા. પરંતુ અચાનક સમાચાર આવ્યા જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ હાલ સૈન્ય કાર્યવાહી રોકવાની જાહેરાત કરી દીધી જેનાથી કૂટનીતિ માટે સંભવિત રસ્તો ખુલતો જાેવા મળી રહ્યો છે. ઈરાન અને અમેરિકા તથા ઈઝરાયેલ ત્રણેય દેશો સીઝફાયર માટે સહમત થઈ ગયા છે. આ સીઝફાયર બે અઠવાડિયા માટે લાગૂ રહેશે અને આગળની વાતચીત પાકિસ્તાનમાં થશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે હું બે અઠવાડિયા માટે ઈરાન પર બોમ્બવર્ષા અને હુમલાઓને સ્થગિત કરવા માટે સહમત છું. તેમણે કહ્યું કે આ ર્નિણય પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર સાથે વાતચીત બાદ લેવામાં આવ્યો. જેમણે પ્રસ્તાવિત હુમલાઓને ટાળવાની અપીલ કરી હતી. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે આ રોક શરતી છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવું પડશે, આ પગલું તેમણે તણાવ ઘટાડવા માટે જરૂરી પગલું ગણાવ્યું.
તેમણે પોસ્ટમાં લખ્યું કે આ બેતરફી યુદ્ધવિરામ હશે. એટલે કે આ બે અઠવાડિયાના સમયમાં બંને પક્ષો પીછેહટ કરે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યાે કે સૈન્ય લક્ષ્ય પહેલેથી હાંસલ થઈ ચૂક્યું છે અને ઈરાન સાથે વાતચીત હવે નિર્ણાયક વળાંક નજીક છે. તેમણે એવો પણ ખુલાસો કર્યાે કે અમેરિકાને ઈરાન તરફથી ૧૦ પોઈન્ટનો પ્રસ્તાવ મળ્યો છે. જેને તેમણે વાતચીત માટે એક વ્યવહારિક આધાર ગણાવ્યો. ટ્રમ્પના જણાવ્યાં મુજબ મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બની ચૂકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ બે અઠવાડિયાનું યુદ્ધવિરામ બંને પક્ષોને સમજૂતિને અંતિમ સ્વરૂપ આપવાની તક આપશે અને સંકેત આપ્યો કે લાંબા સમયથી ચાલી રહેલો આ સંઘર્ષ હવે સમાધાનની નજીક હોઈ શકે છે. નોંધનીય છે કે ટ્રમ્પની આ જાહેરાત ડેડલાઈન પહેલા આવી જેમાં ટ્રમ્પે ધમકી આપેલી હતી કે ઈરાનની આખી સભ્યતા ખતમ થઈ જશે. ટ્રમ્પના આ નિવેદનને પરમાણુ હુમલાની ધમકી તરીકે જાેવામાં આવી રહ્યું હતું. આ નિવેદનની અમેરિકામાં પણ ખુબ ટીકા થઈ. પરંતુ અચાનક બદલાયેલી આ સ્થિતિથી દુનિયામાં રાહત થઈ છે. પરંતુ હવે જાેવાનું એ રહેશે કે પાકિસ્તાનમાં થનારી વાતચીત કેવી રીતે આગળ વધે છે અને અમેરિકા-ઈરાન કઈ વાતો પર સહમત થાય છે. ઈરાન સાથે સીઝફાયરની જાહેરાત પર વ્હાઈટ હાઉસનું પણ નિવેદન આવ્યું છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે વાતચીત ચાલુ રહેશે. લેવિટે કહ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું આ નિવેદન જ આગળની દિશા નક્કી કરશે. વાતચીતનો આધાર શું રહેશે તે રાષ્ટ્રપતિના વલણથી નક્કી થશે. લેવિટે કહ્યું કે સત્ય એ છે કે અમારા રાષ્ટ્રપતિ અને અમારી પાવરફૂલ સેનાએ ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે રાજી કર્યા છે અને આગળની વાતચીત ચાલુ રહેશે. ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદન બહાર પાડ્યું જેમાં કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન તરફથી હું અમારા વ્હાલા ભાઈઓ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફ અને ફિલ્ડ માર્શલ મુનીરને આ વિસ્તારમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે તેમના અથાગ પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કરું છું.




