
મેં ૨૦૦૫માં થોડી પીછેહઠ કરવાનો ર્નિણય લીધો માતા-પિતા છૂટા પડ્યા બાદ હું ‘જવાબદાર’ બની: દિયા સોહા અલી ખાનના પોડકાસ્ટમાં અભિનેત્રી અને નિર્માતા દિયા મિર્ઝાએ પોતાના જીવનના અત્યંત વ્યક્તિગત પાસા વિશે ચર્ચા કરી સોહા અલી ખાન સાથે તેમના પોડકાસ્ટમાં વાત કરતાં દિયા મિર્ઝાએ પોતાના પિતાના તેમના જીવન પર પડેલા પ્રભાવ વિશે જણાવ્યું. તેમણે પોતાની કારકિર્દીના શિખર સમયે અભિનયમાંથી વિરામ લેવાના ર્નિણય અંગે પણ વાત કરી.દિયા મિર્ઝા એવા કલાકારોમાંની એક છે, જેઓ પોતાની લોકપ્રિયતા અને પ્રભાવનો ઉપયોગ સમાજ માટે મહત્વના મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે કરે છે. વ્યક્તિગત જીવન હોય કે વ્યાવસાયિક પસંદગીઓ, તેઓ પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. સોહા અલી ખાન સાથેની વાતચીત દરમિયાન દિયાએ પોતાના માતા-પિતા છૂટા પડ્યા અને તેનાથી પોતામાં આવેલી જવાબદારી વિશે વાત કરી. સોહા અલી ખાનના પોડકાસ્ટમાં અભિનેત્રી અને નિર્માતા દિયા મિર્ઝાએ પોતાના જીવનના અત્યંત વ્યક્તિગત પાસા વિશે ચર્ચા કરી. તેમણે બાળપણમાં શીખેલા એક મહત્વપૂર્ણ પાઠને યાદ કરતાં જણાવ્યું કે કેવી રીતે તેમના પિતાએ નૈતિક મૂલ્યોને આર્થિક સુરક્ષા કરતાં વધુ મહત્વ આપ્યું હતું.આ અનુભવથી જવાબદારી અને નૈતિકતા અંગેની તેમની સમજ કેવી રીતે વિકસિત થઈ તે વિશે તેમણે કહ્યું: “મારા માતા-પિતાના અલગ થવાનું એક કારણ એ હતું કે મારા પિતાના વિચારો તેઓ કયા પ્રોજેક્ટ પર કામ કરશે તે બાબતે ખૂબ જ મજબૂત હતા.”રેહના હૈ તેરે દિલ મેની અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેમના પિતા, જે ઔદ્યોગિક પ્રદર્શન ડિઝાઇનર હતા, એક ખૂબ જ ઊંચા વેતનવાળી નોકરી સ્વીકારવા તૈયાર નહોતા થયા જ્યારે તેમને ખબર પડી કે જે ફેક્ટરી માટે તેમને ડિઝાઇન બનાવવાનું કહેવામાં આવ્યું હતું તે નજીકની નદીમાં પ્રદૂષિત ગંદુ પાણી છોડતી હતી. પૈસાની જરૂર હોવા છતાં તેમણે તે કામ સ્વીકાર્યું નહોતું.દિયાએ યાદ કરતાં કહ્યું: “મને યાદ છે કે મારા માતા-પિતાની સૌથી ઉગ્ર દલીલોમાંથી એક આ મુદ્દે થઈ હતી. મારા પિતાએ કહ્યું, ‘ના, હું આ કામ નહીં કરું.’ અને મારી માતાએ કહ્યું, ‘પછી બિલ કોણ ચૂકવશે? તેની સ્કૂલની ફી ભરવાની છે, બીજા ઘણા ખર્ચા છે. આપણી પાસે ‘ના’ કહેવાનો વિકલ્પ નથી.’ ત્યારે મારા પિતાએ કહ્યું, ‘ના, પરંતુ આપણી પાસે હંમેશા પસંદગી જરૂર હોય છે.’”તેમણે વધુમાં જણાવ્યું કે પોતાના પાલક પિતા સાથે તેમણે બાળપણનો મોટો સમય બહાર પ્રકૃતિની વચ્ચે વિતાવ્યો હતો. સેઇલિંગ, ટ્રેકિંગ અને આસપાસની કુદરતી દુનિયાની શોધખોળ કરતાં. પોડકાસ્ટ દરમિયાન આગળ વાત કરતાં દિયાએ પોતાના જીવનના એક મહત્વપૂર્ણ તબક્કા વિશે પણ જણાવ્યું, જ્યારે વ્યાવસાયિક સફળતા છતાં તેમને સંતોષ મળતો ન હતો. તે સમયને યાદ કરતાં તેમણે કહ્યું કે “મેં ૨૦૦૫માં થોડી પીછેહઠ કરવાનો ર્નિણય લીધો. જે સમયને સામાન્ય રીતે કારકિર્દીનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, એ સમયે મેં બે વર્ષનો વિરામ લીધો હતો.”



