
‘મારો ચહેરો નાનો હતો એટલે કાઢી મૂક્યો!’ બોલિવૂડમાં થતાં અન્યાય પર રાઘવ જુયાલનું દર્દ છલકાયું ટીવી હોસ્ટિંગના કરિયરને ટોચ પર છોડીને અભિનય ક્ષેત્રે ઝંપલાવનાર રાઘવ જુયાલ માટે ‘Kill’ ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ બોલિવૂડમાં પોતાની અદ્ભુત ડાન્સિંગ સ્ટાઇલ, અનોખી કોમેડી અને તાજેતરમાં જ ફિલ્મ Killમાં વિલનની શાનદાર ભૂમિકા ભજવીને લોકોના દિલ જીતનારા અભિનેતા રાઘવ જુયાલ હાલમાં ચર્ચામાં છે. રાઘવે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડની આંતરિક પોલ ખોલતા એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે કઈ રીતે તેની કારકિર્દીના એક મહત્ત્વપૂર્ણ તબક્કે એક પ્રખ્યાત ફિલ્મના લીડ હીરોની જીદ અને માંગના કારણે તેને શૂટિંગ શરૂ થવાના બરાબર પહેલા જ ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાએ બોલિવૂડમાં ચાલતા નેપોટિઝમ અને પાવર ગેમ અંગે ફરી એકવાર વિવાદ જગાડ્યો છે.ઇન્ટરવ્યૂ દરમિયાન રાઘવ જુયાલે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, આ ઘટના તેની સુપરહિટ ફિલ્મ ‘Kill’ના સાઇન થયા પહેલા બની હતી. રાઘવે કહ્યું, “મારી એક મોટા પ્રોડક્શન હાઉસ અને મોટા સ્ટુડિયોની ફિલ્મ માટે સત્તાવાર પસંદગી થઈ ચૂકી હતી. ફિલ્મના શૂટિંગનું શિડ્યુલ નક્કી થઈ ગયું હતું અને હું શૂટિંગ પર જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. પરંતુ અચાનક જ મેકર્સ તરફથી મને ફોન આવવાના બંધ થઈ ગયા. જ્યારે મેં સામેથી પૂછપરછ કરી, ત્યારે તેમણે મને એવું બહાનું આપ્યું કે તેઓ આ રોલ માટે કોઈ મોટા અને પ્રખ્યાત ચહેરાની શોધ કરી રહ્યા છે.”રાઘવે આ બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું કે, મેકર્સના આ મોઘમ જવાબો પાછળનું અસલી કારણ કંઈક અલગ જ હતું. રાઘવે કહ્યું, “શરૂઆતમાં મેં મજાકમાં મેકર્સને એમ પણ કહ્યું હતું કે જો મારો ચહેરો નાનો પડતો હોય, તો હું ખાવા-પીવાનું વધારીને મારો ચહેરો મોટો કરી લઉં! હું અવારનવાર આવી મજાક કરતો હોઉં છું. પરંતુ પાછળથી મને અસલી સત્યની ખબર પડી, જે જાણીને મને ઘણું દુ:ખ થયું હતું. મને જાણવા મળ્યું કે તે ફિલ્મના મુખ્ય અભિનેતા એટલે કે લીડ હીરોએ જ મેકર્સને સ્પષ્ટ કહી દીધું હતું કે તે મને આ ફિલ્મમાં રાખવા માંગતો નથી અને મને કાસ્ટ ન કરવામાં આવે. આ વાતથી તે સમયે મારું દિલ તૂટી ગયું હતું.”જોકે, આટલા મોટા આંચકા બાદ પણ રાઘવ જુયાલે હિંમત ન હારી અને તેનું માનવું છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે. આ રિજેક્શન બાદ તેની કારકિર્દીમાં વધુ સારા પ્રોજેક્ટ્સ આવ્યા. તેણે હસતા હસતા ઉમેર્યું, “આજે હું ભગવાનનો આભાર માનું છું કે હું તે ફિલ્મનો હિસ્સો ન બન્યો. સૌથી રસપ્રદ વાત એ છે કે તે ફિલ્મ ક્યારેય ફ્લોર પર જઈ જ શકી નહીં અને આજ દિન સુધી તે ફિલ્મ બની જ નથી. તે એક ખૂબ જ મોટા સ્ટુડિયોની ફિલ્મ હતી, જેને શરૂ કરવાના ઘણા પ્રયાસો થયા પણ તે ક્યારેય બની શકી નહીં.”પોતાના ટીવી હોસ્ટિંગના કરિયરને ટોચ પર છોડીને અભિનય ક્ષેત્રે ઝંપલાવનાર રાઘવ જુયાલ માટે ‘Kill’ ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. રાઘવે ખુલાસો કર્યાે કે આ ફિલ્મમાં તેમના નેગેટિવ રોલના વખાણ થયા બાદ, તેને સોલો લીડ હીરો તરીકેની અંદાજે ૭૫૦ જેટલી સ્ક્રિપ્ટોની ઓફર મળી હતી. તેમાંથી તેણે ખૂબ જ પસંદગીની ફિલ્મો જેમ કે ‘Bhai Tera Star Hai’ અને Ikaai પર પસંદગી ઉતારી છે. રાઘવે સ્પષ્ટ કર્યું છે કે હવે તે કોઈ પણ ફિલ્મમાં હીરોના માત્ર પાછળ ઉભા રહેતા ‘બેસ્ટ ળેન્ડ’નો રોલ કરવાનો નથી. તેની આગામી ફિલ્મ સોલો લીડ તરીકે ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.




