
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ અફવા ફગાવી.હીર રાંઝા માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર.મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી સારા અર્જુનને આ ફિલ્મ માટે સાઈન કરાઈ નથી.ઈમ્તિયાઝ અલી તથા એક્તા કપૂરની ફિલ્મ ‘હીર રાંઝા’માં હિરોઈન તરીકે ‘ધુરંધર’થી જાણીતી બનેલી સારા અર્જુનની એન્ટ્રી થી હોવાની ચર્ચા હતી પરંતુ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ આ ચર્ચાને ફગાવી છે.
મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી સારા અર્જુનને આ ફિલ્મ માટે સાઈન કરાઈ નથી. તેણે એમ પણ જણાવ્યું છે કે આ ફિલ્મની હિરોઈન જ્યારે પણ ફાઈનલ થશે ત્યારે પોતે તે વિશે અપડેટ આપશે. અગાઉ આ ફિલ્મમાં હિરો તરીકે રોહિત સરાફને સાઈન કરાયો હોવાની પણ ચર્ચા હતી. જાેકે, બાદમાં એ પણ સ્પષ્ટ થયું હતું કે રોહિત સરાફને હજુ ફાઈનલ કરાયો નથી. ઈમ્તિયાઝ અલીનાં બેનર હેઠળ અગાઉ ‘લૈલા મજનુ’ ફિલ્મ બનાવાઈ હતી. તે પછી તેની કડી રુપે જ હીર રાંઝાની જૂની વાર્તાને નવાં સ્વરુપે ઢાળીને આ ફિલ્મ બનાવાઈ રહી હોવાનું કહેવાય છે.




