
વિઝાની મુદત પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને દેશનિકાલ કરાશ.રાજકોટમાં ૩૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ.હાલ રતનપર સહિતના વિસ્તારોમાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં રહે છે.રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને રતનપર સહિતના વિસ્તારોમાં રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓના ન્યુસન્સ મામલે મોરબી રોડ પરના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે મામલે પોલીસ કમિશનરને પણ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં સ્થાનિક પોલીસે તપાસ કર્યા બાદ હવે સ્પેશયિલ ઓપરેશન ગ્રૂપની ટીમ મેદાને આવી છે. એસ.ઓ.જી.દ્વારા આશરે ત્રણસોક વિદ્યાર્થીઓની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ રતનપર સહિતના વિસ્તારોમાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં રહે છે, તેઓ આસપાસના વિસ્તારોમાં ન્યુસન્સ ફેલાવતા હોવાની રાવના કારણે આજે સવારથી જ એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં અલગ અલગ ટીમોએ રતનપર, હડાળા સહિતના વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.અંદાજે ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ મોરબી રોડ પરના વિસ્તારોમાં રહે છે, તે તમામ છાત્રોની ટીમ તપાસ કરશે તેમના વિઝા પણ ચકાસશે, જાે વિઝાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ અહીં રહેતા હોય તેવા ગેરકાયદેસર વિદ્યાર્થીઓને ડીપોર્ટ કરવાની પણ કામગીરી હાથ ધરાવે છે. આ ચેકિંગ સાંજ સુધી ચાલુ રહેશે તે બાદ જ ખરી હકીકત બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રતનપર સહિતના ગ્રામજનોએ આફ્રિકન છાત્રો દ્વારા દેહ વ્યાપારનો પણ ધંધો કરવામાં આવતો હોવાનો આક્ષેપ સાથે પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત પણ કરેલી હતી.
