
યુદ્ધવિરામનો ભંગ કરનારા આતંકીઓને ઠાર કર્યા: ઇઝરાયેલી સેના ગાઝામાં સહાય જૂથોને કામગીરીની મંજૂરી વચ્ચે ઈઝારાયેલના હુમલાં ચાલુ ઇઝરાયેલ સેનાનો દાવો કર્યો કે તેમણે યુદ્ધવિરામનો ભંગ કરનારા હથિયારધારી આતંકવાદીઓને ઠાર કર્યા છે
ઇઝરાયેલની સર્વાેચ્ચ અદાલતે શુક્રવારે આંતરરાષ્ટ્રીય સહાયતા જૂથોને ગાઝા પટ્ટી અને અન્ય પેલેસ્ટિનિયન વિસ્તારોમાં કામ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જાેકે તેની વચ્ચે પણ ઇઝરાયેલે હુમલા ચાલુ રાખ્યા છે અને તેમાં ગાઝામાં ચારનાં મોત થયા છે અને અનેકને ઇજા પહોંચી છે. ૧૭ સહાય જૂથોની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ઇઝરાયેલ સરકારના તે ર્નિણયને અટકાવી દીધો છે, જેમાં સહાયતા જૂથો પર પ્રતિબંધ મૂકવાની વાત હતી. ઇઝરાયેલ સરકારે ગયા વર્ષે નવા નિયમો લાગુ કર્યા હતા, જે મુજબ સેવાકીય સંસ્થાઓએ તેમના કર્મચારીઓના નામ, સંપર્ક અને ફંડિંગની વિગતો આપવી ફરજિયાત હતી. આ નિયમોનું પાલન ન કરનારા ૩૭ જૂથો પર ૧લી માર્ચથી પ્રતિબંધ લાદવાની જાહેરાત કરાઈ હતી. કોર્ટે હવે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી જૂથોને કામ ચાલુ રાખવા કહ્યું છે. ગાઝાના ૨૦ લાખ રહેવાસીઓ ખોરાક, પાણી અને તબીબી સહાય માટે આ સેવાભાવી જૂથો પર ર્નિભર છે. ૧૦મી ઑક્ટોબરથી અમલી બનેલા યુદ્ધવિરામ છતાં હિંસા અટકી નથી. બુરેજ શરણાર્થી શિબિર પાસે થયેલા તાજેતરના હવાઈ હુમલાઓમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઇઝરાયેલ સેનાનો દાવો છે કે તેમણે યુદ્ધવિરામનો ભંગ કરનારા હથિયારધારી આતંકવાદીઓને ઠાર કર્યા છે.




