
LPG મોટો જથ્થો પહોંચશે ભારત.બે ભારતીય જહાજાે હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર.ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું હતું કે, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજાેને સુરક્ષિત માર્ગ આપશે.મધ્ય પૂર્વ સંકટ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા માટે ઈરાને મંજૂરી આપેલા બે ભારતીય ધ્વજવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ટેન્કરો હવે આ સંવેદનશીલ માર્ગ પારથી પસાર થઇ ગયા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે. શિવાલિક અને નંદા દેવી નામના આ જહાજાે ભારતમાં LPG મોટો જથ્થો લઈ આવી રહ્યાં છે. ઈરાન અને પ્રદેશના અન્ય દેશોના સહયોગથી ભારતીય જહાજાેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય અને ઈરાની નેતૃત્વ વચ્ચે થયેલી વાટાઘાટો બાદ ભારતમાં બે ભારતીય જહાજાેના આગમન માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી.
બંને જહાજાે, શિવાલિક અને નંદા દેવી, હોર્મુઝની સામુદ્રધુની પાર કરી ચૂક્યા છે અને ટૂંક સમયમાં ભારતમાં પહોંચશે. રસોઈ ગેસની અછતના અહેવાલો વચ્ચે બંને જહાજાેનું આગમન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઈરાની રાજદૂતે જહાજાેને સુરક્ષિત માર્ગ પૂરો પાડવાની વાત કરી હતી.વાસ્તવમાં, મધ્ય પૂર્વ કટોકટીને કારણે, દેશભરમાં ન્ઁય્ની અછતના અહેવાલો સામે આવી રહ્યા છે. લોકો રસોઈ ગેસ માટે લાંબી લાઈનોમાં ઉભા છે. જાેકે, સરકાર કહે છે કે આ ફક્ત ગભરાટ છે. આપણી પાસે ગેસની અછત નથી.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંથી એક છે. શુક્રવારે સાંજે, ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારતીય જહાજાેને સુરક્ષિત માર્ગ પૂરો પાડશે.
આ પછી જ, બે ભારતીય ધ્વજવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી. જહાજાેને સલામત માર્ગ પૂરો પાડવાના પ્રશ્નો અંગે, ભારતમાં ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ કહ્યું, “મારું માનવું છે કે ઈરાન અને ભારત મિત્રો છે અને અમારા હિતો સમાન છે.
આ યુદ્ધ ભારતમાં ગેસ અને તેલની અછતને વધારી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા LPG પુરવઠાની છે. લોકોને ઘરેલુ અને કોમર્શિયલ કોમર્શિયલ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ બુકિંગ પૂરજાેશમાં ચાલી રહ્યું છે, અને કાળાબજાર પણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ સિલિન્ડર ખરીદવા માટે ચાર ગણા ભાવ ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. ગેસની અછતને કારણે ઘણા રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર્સ બંધ થઈ ગયા છે. ક્રૂડ ઓઈલની અછતને કારણે પણ ચિંતા વધી છે, જેના કારણે ઘણી એરલાઈન્સે હવાઇ ભાડામાં વધારો ર્યો છે.
બીજી બાજુ, સરકારનો દાવો છે કે પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને મહાનિર્દેશકો સાથે બેઠકો યોજી છે અને સંગ્રહખોરી અને કાળાબજાર અટકાવવા આદેશ આપ્યાં છે. તેમજ ડિલિવરીને સુગમ કરવા માટે બુકિંગ સમય લંબાવાયો છે.




