
કુલ ૧૨થી ૧૩ દુર્લભ ફિલ્મી સ્મૃતિચિહ્નો પણ ખરીદ્યાં હતાં ‘મુગલ-એ-આઝમ’ના દુર્લભ પોસ્ટર્સ માટે શાહરૂખ ખાને ૬.૮૪ લાખ ચૂકવ્યાં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મી વારસાને સાચવવા પ્રત્યે પૂરતી ગંભીરતા જાેવા મળતી નથી : ઔસાજા
શાહરુખ અને અનિલ કપૂરે અમૂલ્ય ફિલ્મી સ્મૃતિચિહ્નો ખરીદ્યાંબોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાન માત્ર ફિલ્મોનો જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના વારસાનો પણ મોટો પ્રશંસક છે. આ વાતનો ખુલાસો ફિલ્મ આર્કાઇવિસ્ટ અને લેખક એસ. એમ. એમ. ઔસાજાએ અભિનેત્રી પૂજા ભટ્ટના પોડકાસ્ટ ‘ધ પૂજા ભટ્ટ શો’માં કર્યાે છે.વાતચીત દરમિયાન ઔસાજાએ જણાવ્યું કે તેમણે વર્ષાેથી ભારતીય ફિલ્મોના પોસ્ટર્સ અને દુર્લભ સ્મૃતિચિહ્નોનો વિશાળ ખાનગી સંગ્રહ તૈયાર કર્યાે છે. જાેકે, તેમણે દુ:ખ વ્યક્ત કર્યું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મી વારસાને સાચવવા પ્રત્યે પૂરતી ગંભીરતા જાેવા મળતી નથી. તેમ છતાં, કેટલાક કલાકારો આ બાબતમાં અપવાદરૂપ રહ્યા છે.ઔસાજાએ જણાવ્યું કે લગભગ દસ વર્ષ પહેલાં તેમણે પોતાના સંગ્રહનું પ્રદર્શન યોજવા માટે અનેક કોર્પાેરેટ કંપનીઓનો સંપર્ક કર્યાે હતો. પરંતુ મોટાભાગની કંપનીઓને ફિલ્મી વારસામાં નહીં, પરંતુ કાર્યક્રમમાં કયો મોટો સ્ટાર આવશે અને કેટલા લોકો એકઠાં થશે તેમાં જ રસ હતો.તેમણે કહ્યું, “કોર્પાેરેટ્સ પૂછતાં કે શું અક્ષય કુમાર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે? તેમને માત્ર બ્રાન્ડને કેટલો ફાયદો થશે તેની જ ચિંતા હતી. ત્યારબાદ મેં વિચાર્યું કે પ્રદર્શન યોજવાને બદલે પુસ્તકો લખવા વધુ સારું રહેશે.”ફરાહ ખાન અને રિતેશ દેશમુખ પણ ફિલ્મી વારસાના સંરક્ષક ઔસાજાએ જણાવ્યું કે ફરાહ ખાન પોતાનાં પિતા કમરાન ખાન સાથે જાેડાયેલી તમામ દુર્લભ સામગ્રી સાચવી રાખવા માટે ખૂબ જ ગંભીર રહી છે.તેમણે કહ્યું, ”ફરાહે પોતાના પિતાની ફિલ્મો સાથે સંબંધિત તમામ પોસ્ટર્સ અને સામગ્રી મારી પાસેથી મેળવી અને સાચવી રાખી છે. જે ફિલ્મો સફળ નહોતી થઈ અને ફરી રિલીઝ પણ થઈ નહોતી, તેમનાં પોસ્ટર્સ આજે ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.”તેમણે વધુમાં જણાવ્યું કે રિતેશ દેશમુખ પણ ફિલ્મી પોસ્ટર્સનો મોટો કલેક્ટર છે અને તેની પાસે દુર્લભ પોસ્ટર્સનો વિશાળ સંગ્રહ છે.‘મુગલ-એ-આઝમ’ના પોસ્ટર્સ માટે શાહરૂખ અને અનિલ કપૂર વચ્ચે બોલીપૂજા ભટ્ટે વાતચીત દરમિયાન ઉલ્લેખ કર્યાે કે શાહરૂખ ખાને એક વખત ‘મુગલ-એ-આઝમ’નાં પોસ્ટર્સ માટે હરાજીમાં ભાગ લીધો હતો.તેના જવાબમાં ઔસાજાએ કહ્યું, “શાહરૂખે માત્ર ‘મુગલ-એ-આઝમ’ના પોસ્ટર્સ જ નહીં, પરંતુ કુલ ૧૨થી ૧૩ દુર્લભ ફિલ્મી સ્મૃતિચિહ્નો પણ ખરીદ્યાં હતાં. બેંગકોકમાં યોજાયેલી આ હરાજીમાં અનિલ કપૂરે પણ કેટલીક વસ્તુઓ માટે બોલી લગાવી હતી, કારણ કે તેમના પિતા આ ફિલ્મમાં સહાયક તરીકે કામ કરી ચૂક્યા હતા.”ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૪માં આવેલા અહેવાલ મુજબ શાહરૂખ ખાને ‘મુગલ-એ-આઝમ’નાં બે ઓરિજિનલ અને દુર્લભ પોસ્ટર્સ ૬.૮૪ લાખમાં ખરીદ્યાં હતાં.આ ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે શાહરૂખ ખાન માત્ર પડદા પર જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના અમૂલ્ય વારસાને સાચવવામાં પણ વિશેષ રસ ધરાવે છે.




