
શુભેન્દુ સરકારનો ઐતિહાસિક ર્નિણય.બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત.રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન સાથે જાેડાયેલા મામલાઓમાં કડક સજાની જાેગવાઈ છે, જેમાં જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે.પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટો ર્નિણય લીધો છે. હવે રાજ્યની તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ અંગે મદરેસા શિક્ષણ નિયામક દ્વારા ૧૯ મે, ૨૦૨૬ના રોજ એક સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, અગાઉના તમામ ર્નિદેશો અને પ્રથાઓને તાત્કાલિક અસરથી રદ કરીને, હવેથી મદરેસાઓમાં વર્ગાે (કલાસીસ) શરૂ થતા પહેલા થતી દૈનિક પ્રાર્થનામાં ‘વંદે માતરમ્’ ગાવું અનિવાર્ય રહેશે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આ નવો નિયમ પશ્ચિમ બંગાળના તમામ પ્રકારના મદરેસાઓ પર સમાન રીતે લાગુ થશે. જેમાં રાજ્યની તમામ સરકારી મોડલ મદરેસા (ઇંગ્લિશ મીડિયમ), માન્યતા પ્રાપ્ત સરકારી સહાયતા મેળવતી મદરેસાઓ, અપ્રૂવ્ડ MSK, અપ્રૂવ્ડ SSK તેમજ માન્યતા પ્રાપ્ત ગેર-સહાયિત (પ્રાઇવેટ) મદરેસાઓનો સમાવેશ થાય છે. આ આદેશને તાત્કાલિક અસરથી અમલમાં લાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. મદરેસા શિક્ષણ નિયામક તરફથી આ ર્નિણયની નકલ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન અને અન્ય સંબંધિત વિભાગોને મોકલી દેવામાં આવી છે. આ આદેશ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ જ જાહેર કરવામાં આવ્યો છે.બીજી તરફ, પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવ્યા બાદ, નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની સમકક્ષ દરજ્જાે આપવાનો ઐતિહાસિક ર્નિણય કર્યાે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ્’ને પણ એ જ કાનૂની સુરક્ષાના દાયરામાં લાવવાનો છે, જે અત્યારે રાષ્ટ્રગાનને મળેલી છે. એકવાર આ નવો નિયમ સંપૂર્ણપણે લાગુ થઈ ગયા પછી, ‘વંદે માતરમ્’ ગાવા દરમિયાન તેનું અપમાન કરવું કે તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી કરવી એ એક ગંભીર અને ‘કોગ્નિઝેબલ ગુનો’ (પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે તેવો ગુનો) ગણાશે.હાલના કાયદા અનુસાર, રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન સાથે જાેડાયેલા મામલાઓમાં કડક સજાની જાેગવાઈ છે, જેમાં જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત નવો સુધારો આ તમામ કડક કાનૂની જાેગવાઈઓને ‘વંદે માતરમ્’ માટે પણ લાગુ કરી દેશે, એટલે કે તેનું ઉલ્લંઘન કરનારે પણ સમાન કાનૂની પરિણામો ભોગવવા પડશે. વર્તમાન નિયમો મુજબ, જાે કોઈ વ્યક્તિ જાણીજાેઈને રાષ્ટ્રગાન ગાતા અટકાવે છે અથવા તેમાં ખલેલ પહોંચાડે છે, તો તેને ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ સિવાય, જે વ્યક્તિ વારંવાર આવો ગુનો આચરે છે, તેને ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજા ફટકારવાની જાેગવાઈ પણ રાખવામાં આવી છે.



