
વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા.નિવૃત્તિની જાહેરાત પછી અરિજીત કોલકાતામાં લાઈવ શોમાં ખુબ ખીલ્યો.કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં અરિજિતને જાેવા માટે ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી.બોલીવુડના દિગ્ગજ ગાયક અરિજિત સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિના સમાચારને કારણે સમાચારમાં છે. ગાયકના આ ર્નિણયથી તેમના ચાહકોનું દિલ તૂટી ગયું છે. ચાહકો સહિત અનેક સેલિબ્રિટીઓએ અરિજિતના ર્નિણય પર પ્રતિક્રિયા આપી છે અને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. દરમિયાન, પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના થોડા દિવસો પછી, અરિજિત કોલકાતામાં પોતાનો પહેલો શો રજૂ કર્યાે. રવિવારે, અરિજિતે સિતારવાદક અનુષ્કા શંકર સાથે પ્રદર્શન કર્યું. ગાયકના પરફોર્મન્સના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં અરિજિતને પરફોર્મ કરતા જાેઈને ચાહકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.
કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં અરિજિતને જાેવા માટે ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી. આ કાર્યક્રમની વાયરલ ક્લિપમાં, અનુષ્કાએ તેમનું સ્ટેજ પર સ્વાગત કર્યું, અને ભીડ તાળીઓ અને ઉલ્લાસથી ગુંજી ઉઠી. અરિજિતે ચાહકોને કહ્યું, “હું ખૂબ જ નર્વસ છું. મને આમંત્રણ આપવા બદલ આભાર.અરિજિતે અનુષ્કા અને બિક્રમ ઘોષ સાથે સ્ટેજ પર “માયા ભોરા રાતી” ગાવા માટે જાેડાયા, જે લક્ષ્મી શંકર દ્વારા ગાયું હતું અને સ્વર્ગસ્થ સિતારવાદક પંડિત રવિ શંકર દ્વારા રચિત બંગાળી ગીત હતું. અરિજિતે અનુષ્કાના ઘરે જઈને સાથે ગીત રચવા વિશે પણ વાત કરી.લાઈવ શો દરમિયાન, અરિજિત સિંહે અનુષ્કા શર્મા અને નોરાહ જાેન્સ સાથે તેમના ગીત “ટ્રેસીસ ઓફ યુ” પર યુગલગીત પણ ગાયું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને યુઝર્સ તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ અરિજીત સિંહે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “નમસ્તે, બધાને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષાેથી શ્રોતાઓ તરીકે મને આટલો પ્રેમ આપવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું.” “મને જાહેરાત કરતા આનંદ થાય છે કે હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવી સોંપણીઓ નહીં લઉં. હું તેને સમાપ્ત કરી રહ્યો છું. આ એક અદ્ભુત સફર રહી છે.”




