
રણબીર કહ્યું કે આ અનુભવથી તેના જીવનમૂલ્યો વધુ પાક્કા થયાં ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકાએ મારી “ખરાબ આદતો” દૂર કરાવી : રણબીર કપૂર ફિલ્મે તેનાં જીવન પર કેવી ઊંડી અસર કરી તે અંગે વાત કરતા રણબીરે સ્વીકાર્યું કે શરૂઆતમાં તે ફિલ્મ સ્વીકારવા અંગે અસમંજસમાં હતો રણબીર કપૂરના ચાહકો તેને નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ‘રામાયણ’માં ભગવાન રામ તરીકે જાેવા માટે આતુર છે. ત્યારે તેમની સાથેના એક સંયુક્ત ઇન્ટરવ્યુમાં રણબીરે ફરી એકવાર ‘રામાયણ’ને પોતાની કારકિર્દીના સૌથી મહત્વપૂર્ણ અનુભવોમાંથી એક ગણાવ્યું અને સ્વીકાર્યું કે શરૂઆતમાં તેને શરુઆતમાં ચિંતા હતી કે પાત્રને ન્યાય આપી શકશે કે નહીં.રણબીરે કહ્યું કે ‘રામાયણ’એ તેને વધુ સારો માણસ બનાવ્યો, તેની ખરાબ આદતો દૂર કરી અને દીકરી રાહા માટે વધુ સારો વ્યક્તિ બનાવ્યો.ફિલ્મે તેનાં જીવન પર કેવી ઊંડી અસર કરી તે અંગે વાત કરતા રણબીરે સ્વીકાર્યું કે શરૂઆતમાં તે ફિલ્મ સ્વીકારવા અંગે અસમંજસમાં હતો. તેણે કહ્યું, “શું હું આ પાત્રને ન્યાય આપી શકીશ? શું હું આ માટે યોગ્ય છું?” અને ઉમેર્યું, “પણ ખુબ જલદી મારો એ ડર, પ્રેમ અને કૃતજ્ઞતામાં બદલાઈ ગયો કારણ કે મને સમજાયું કે આ ફક્ત મારી કારકિર્દી માટે જ નહીં, પરંતુ જીવન બદલાવી નાખે એવો અનુભવ હતો. તેણે ખરેખર મારું જીવન બદલી નાખ્યું.”રણબીરે સમજાવ્યું, “આ ફિલ્મ મને ‘રામાયણ’ને સમજવામાં, ભગવાન રામની યાત્રાને સમજવામાં વધુ નજીક લઈ ગઈ. મને લાગે છે કે તેણે મારા જીવનમાં ઘણાં સકારાત્મક ફેરફાર કર્યા છે. મારી ખરાબ આદતો બદલાઈ, મારા મુલ્યો વધુ પાક્કા થયાં, મારી જીવનને જાેવાની રીત બદલાઈ, નુકસાનને જાેવાની રીત બદલાઈ, ત્યાગને જાેવાની રીત બદલાઈ, ધર્મને સમજવાની રીત બદલાઈ અને મને લાગે છે કે મને મારા જીવનમાં ખરેખર તેની જરૂર હતી.”તેણે આગળ કહ્યું, “રામ કેટલા ઉંડે સુધી માનવીય છે એ જ વાત તેમને ખરેખર પવિત્ર બનાવે છે. તેઓ નુકસાન, અન્યાય, સંઘર્ષ જેવી ઘણી તીવ્ર લાગણીઓમાંથી પસાર થાય છે, છતાં તેઓ જે રીતે પ્રતિસાદ આપે છે તે અહંકારથી નહીં પરંતુ કરુણાથી આપે છે. આજના સમયમાં આ કરુણાથી પ્રતિસાદ આપવાની એક ખુબ સુંદર શીખ છે. આપણે હંમેશા તણાવમાં હોઈએ છીએ, હંમેશા ગુસ્સે થવાની કે અકળાવાની ધાર પર જીવતા હોઈએ છીએ. આપણે તરત જવાબ આપવા અને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવા તૈયાર હોઈએ છીએ. પરંતુ રામ જે રીતે સંયમ, વિનમ્રતા, માફી અને કરુણાથી પ્રતિસાદ આપે છે, તે મારા માટે માનવીય સીમાઓથી પણ પર છે.”પિતા અને વ્યક્તિ તરીકે તેની વિચારસરણીમાં થયેલા પરિવર્તન અંગે રણબીરે ઉમેર્યું, “મારા જીવનમાં આ એક ખૂબ સુંદર સંયોગ હતો. રાહાએ મને વધુ સારો માણસ બનાવ્યો અને ‘રામાયણ’એ મને રાહા માટે વધુ સારો માણસ બનવાની પ્રેરણા આપી, એટલે બધું એકબીજા સાથે જાેડાયેલું હતું. હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતો, જ્યારે આપણું સત્ય, આપણી સંસ્કૃતિ અને આપણા ઇતિહાસ પર આટલી વિશાળ ફિલ્મ સૌથી પ્રામાણિક રીતે બની રહી હતી. આ મારા માટે આશીર્વાદ છે અને હું જીવનભર આ ફિલ્મ માટે આભારી રહીશ.”



