
મહાશિવરાત્રિ મેળામાં જતા ભક્તો માટે સારા સમાચાર.ગિરનાર રોપ- વેની ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો.મેળામાં આવતા યાત્રિકો રોજ સવારે ૦૭:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે.જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ, મેળા દરમિયાન યાત્રિકોને રોપ-વેની ટિકિટમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અંતર્ગત ભાવિકો માત્ર ૬૩૦ (ય્જી્ સહિત) રૂપિયાના રાહત દરે ગિરનારની યાત્રા કરી શકશે, જે સુગમ અને સુરક્ષિત પ્રવાસની તક પૂરી પાડશે. આ વિશેષ ઓફર ૧૧થી ૧૫ ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે. યાત્રિકો દરરોજ સવારે ૦૭:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. જાેકે, સાંજે ૦૪:૦૦ વાગ્યા પછી માત્ર એક તરફની ટિકિટ જ આપવામાં આવશે. આ પાવન પર્વ પર મહત્તમ ભક્તો ગિરનારની ટોચે બિરાજતા દત્તાત્રેય દર્શન કરી શકે તે હેતુથી આ આકર્ષક યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ગિરનારની ગોદમાં શરૂ થનારા મહાશિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. ભવનાથ મંદિર પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. મહાશિવરાત્રી મેળા માટે હજારો શ્રદ્ધાળુ અને યાત્રિકો દેશભરમાંથી આવે છે. તે જાેતા પોલીસ પ્રશાસને રાજ્યના મહત્વના પર્વની તૈયારીઓ પૂરેપૂરી સજ્જતા દર્શાવી છે. ર્જીંય્, મ્ડ્ઢડ્ઢજી અને ડોગ સ્કવોડનીટીમોએ ભવનાથ પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચેકિંગ કર્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. મહાશિવરાત્રી મેળાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે જૂનાગઢ પોલીસ તમામ સ્તરે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
જૂનાગઢમાં ઓઘડની ટૂંક પર ધજાના કેસમાં નાથ સંપ્રદાયના વિરોધ બાદ આખરે ફરિયાદ નોંધાઈ છે. ભવનાથ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓઘડની જગ્યા નાથ સંપ્રદાયની છે. જ્યાં જૈન સંપ્રદાયનો ઝંડો લાગતા જ નાથ સંપ્રદાયના સાધુ- સંતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. નાથ સંપ્રદાયના સાધુ- સંતોએ નાથ સંપ્રદાય અને જૈન સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય ગણાવ્યું. આટલું જ નહીં આરોપ લગાવ્યો કે ફોટોમાં દેખાતા બંને શખ્સો ચોરીછૂપીથી ઝંડો ઉપર લઈ ગયા હતાં. જ્યાં ઓઘડની ટૂંક પર જઈ તેને લહેરાવાયો હતો. ભવનાથ પોલીસે હાલ ફોટોમાં દેખાતા બે શખ્સની શોધખોળ શરૂ કરી છે.




