
આતંકવાદના ગુનામાં હવે હેઠળ કાર્યવાહી.ગુજરાત વિધાનસભામાં GUJCTOCસુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું.હવેથી આતંકવાદ સંબંધિત ગુનાઓની તપાસ કેન્દ્ર સરકારના નવા કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) હેઠળ કરવામાં આવશે.ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-૨૦૨૬’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ સુધારા મુજબ, હવે રાજ્યના મૂળ GUJCTOC કાયદામાંથી આતંકવાદી કૃત્યોને લગતી જાેગવાઈઓ દૂર કરવામાં આવી છે. હવેથી આતંકવાદ સંબંધિત ગુનાઓની તપાસ કેન્દ્ર સરકારના નવા કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) હેઠળ કરવામાં આવશે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ૨૦૧૫માં જ્યારે GUJCTOC અમલમાં આવ્યો ત્યારે તેમાં આતંકવાદ અને સંગઠિત ગુના બંનેનો સમાવેશ થતો હતો. જાેકે, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી ‘ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩’ (BNS) ની કલમ ૧૧૩માં આતંકવાદ વિરોધી કડક જાેગવાઈઓ પહેલેથી જ સામેલ છે. એક જ ગુના માટે બે અલગ-અલગ કાયદા હેઠળ તપાસ ન થાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારા બાદ હવે GUJCTOC કાયદો મુખ્યત્વે ‘સંગઠિત ગુનાઓ’ પર કેન્દ્રિત રહેશે. રાજ્યમાં ગેંગસ્ટરો, ખંડણીખોરો અને સંગઠિત માફિયાઓ સામેની કાર્યવાહી આ કાયદા હેઠળ યથાવત રહેશે, જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે BNS ની કલમો લાગુ પડશે.
જૂના IPC (1860) ના સ્થાને હવે BNS અમલી બન્યું છે. આ સુધારા વિધેયક દ્વારા ‘Code of Criminal Procedure’ (CrPC) ના સ્થાને નવી ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩’ (BNSS) ના સંદર્ભોનો અમલ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને ડુપ્લિકેશન અટકાવવાનો છે.




