
ભાજપ સાંસદની મુખ્યમંત્રીને રજૂઆત.સરકારી ભરતીમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ.આ સિવાય EWS અને OBC માટે ૫%ની છૂટછાટ આપી ૨૫% કરવામાં આવી છ.ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ-૩ની ભરતીમાં SC/ST કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માગણી કરી છે. ગુજરાત સરકારને નિયમમાં સુધારો કરીને SC/ST માટે લાયકાત ૪૦%થી ઘટાડીને ૩૦% કરવામાં આવે એવી રજૂઆત કરી છે. જશુભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને લેખેલ પત્રમાં વર્ગ-૩ની તમામ ભારતીઓમાં અનુચ્છેદ ૩૩૫ની જાેગવાઈનો ઉપયોગ કરી SC/ST કેટેગરીનાં ઉમેદવારો માટે લાયકાત ધોરણ ૪૦% માં ૧૦%ની છૂટછાટ આપવા બાબત રજૂઆત કરી છે.
તેમણે લખ્યું છે કે, હાલમાં પોલીસ ભરતીનું જે પરિણામ આવ્યું છે તેમાં, તેમજ વર્ગ-૩ની અન્ય તમામ ભરતીઓમાં અનુચ્છેદ ૩૩૫ની જાેગવાઈનો ઉપયોગ કરી SC/ST કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ધોરણમાં ભારત સરકારનું ભરતી બોર્ડ SSC જેવી મહત્ત્વની પરીક્ષાઓ જેમકે CHSL અને CGI ની પરીક્ષામાં જનરલ માટે મિનિમમ માર્ક્સ ૩૦% છે. આ સિવાય EWS અને OBC માટે ૫%ની છૂટછાટ આપી ૨૫% કરવામાં આવી છે. જેથી ગુજરાત સરકાર દ્વારા પણ ભારત સરકારની જેમ પોલીસ કોન્સ્ટેબલ, CCE માં તેમજ આવનાર રેવન્યુ તલાટી તેમજ વર્ગ-૩ની અન્ય તમામ ભારતીઓ SC/ST કેટેગરીના ઉમેદવારોને ૧૦% છૂટછાટ આપવામાં આવે એવી ખાસ ભલામણ કરી છે.
જશુભાઈ રાઠવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર દ્વારા SC/ST ઉમેદવારોના હિત માટે સરકાર સમક્ષ મહત્ત્વની માંગણી કરવામાં આવી છે, જે આગામી સમયમાં રાજ્યના હજારોથી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડી શકે છે.
