
રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો સરકારી ઈમારતો પર હજુ પણ ચીની CCTV : રાહુલ ગાંધી હજુ પણ સરકારી બિલ્ડિંગોમાં આવા સીસીટીવીનો ઉપયોગ થતો હોવા સહિતના ગંભીર આક્ષેપ કર્યા છે દેશમાં ચાઈનીઝ સીસીટીવી કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરીને સોશિયલ મીડિયા પર પત્ર શેર કર્યો છે. આમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા જાેખમમાં નાખવાનો, હજુ પણ સરકારી બિલ્ડિંગોમાં આવા સીસીટીવીનો ઉપયોગ થતો હોવા સહિતના ગંભીર આક્ષેપ કર્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘કેન્દ્ર સરકારે સામાન્ય પ્રજા દ્વારા ચાઈનીઝ સીસીટીવી કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જાેકે હજુ પણ સરકારી ઈમારતોમાં આવા કેમેરા લાગેલા છે, વિદેશી એઆઈ પ્લેટફોર્મ આપણા દેશના સંવેદનશીલ ડેટાની પ્રોસેસ કરી રહી છે. તેમ છતાં આ મુદ્દે કેન્દ્ર સરકાર કંઈપણ બોલતી નથી. મેં આ મુદ્દે સંસદમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને સવાલ પૂછ્યા હતા, જેમાં તેમણે ઘણા જવાબ આપી દીધા, પરંતુ જે પૂછ્યું હતું તેનો કોઈ જવાબ ન આપ્યો.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મેં સરકારને પૂછ્યું હતું કે, આપણા દેશમાં કેમેરા કયા દેશમાંથી આવ્યા? તેમાંથી સુરક્ષા દૃષ્ટિએ કેટલા પ્રમાણિત છે? વિદેશની કયા એઆઈ પ્લેટફોર્મ આપણા સરકારી ડેટા પ્રોસેસ કરી રહી છે? કયાં પ્રતિબંધીત એપ નામ બદલીને હજુ પણ ચાલી રહ્યા છે? જાેકે મંત્રાલયે કોઈ ડેટાકીય જવાબ આપ્યો નથી, તેઓએ પ્લેટફોર્મના નામ પણ કહ્યા નથી અને મેં જે પૂછ્યું તેનો જવાબ આપ્યો નથી.’
ચાઈનીઝ સીસીટીવી કેમેરા મુદ્દે સરકારે પત્ર લખીને જવાબ આપ્યો હતો, ત્યારે કોંગ્રેસ સાંસદે તે પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે પત્ર સાથે લખ્યું છે કે, ‘પાંચ વર્ષ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સ્વિકાર કરાયો હતો કે, સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા ૧૦ લાખ ચાઈનીઝ કેમેરા ડેટા ટ્રાન્સફર કરીને જાેખમ ઉભુ કરી રહ્યા છે. જાેકે આજે પણ સરકાર કહેતી નથી કે, આપણી ઉપર નજર રાખી રહેલા તે કેમેરા સુરક્ષિત છે કે નહીં. આવી સ્થિતિ દેશને અંધારામાં રાખવાનું ષડયંત્ર છે. મોદી સરકાર પોતાની નિષ્ફળતા પર પડદો ઢાકી, વિદેશીની દેશ પર નજરનું સત્ય છુપાવીને દરેક નાગરિકોની સુરક્ષાને જાેખમમાં નાખી રહી છે.’
દિલ્હીમાં ઝ્રઝ્ર્ફ સર્વેલન્સ નેટવર્કમાં ચીન દ્વારા બનાવાયેલા કેમેરાનો ઉપયોગ થાય છે, ત્યારે રાજ્ય સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને તબક્કાવાર આ સીસીટીવી હટાવવાની શરૂ કરી દીધા છે. લોક નિર્માણ વિભાગ (PWD)ના મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું કે, દિલ્હીમાં ચીનની કંપની ૐૈાદૃૈર્જૈહના કેમેરા ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે અને તેના બદલે અન્ય કેમેરા લગાવાશે. પીડબલ્યુડીએ દિલ્હીમાં ૨.૭ લાખથી વધુ સીસીટીવી લગાવ્યા છે. આમાંથી પહેલા તબક્કામાં (સપ્ટેમ્બર-૨૦૨૦થી નવેમ્બર-૨૦૨૨)માં લગાવાયેલા ૧.૪ લાખ કેમેરા ચીનમાં બન્યા છે, જ્યારે બીજા તબક્કામાં (જૂન-૨૦૨૫થી માર્ચ ૨૦૨૬) જે કેમેરા લગાવવાના હતા, તે ચીન સિવાય અન્ય દેશોમાંથી લેવાશે. જાેકે સરકારી ઈમરતોની અંદર ચીની કેમેરા મુદ્દે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી, જેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે.




