
૧૭૯ મુસાફરો આખી રાત પરેશાન થયા.શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકીને જતો રહ્યો પાયલટ.એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફરોને રવાના કર્યા.વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સની કોલકાતા જતી ફ્લાઇટ રદ થઈ ગઈ. ધુમ્મસના કારણે કોલકાતાથી વારાણસી આવતું વિમાન બપોરે ૧:૦૦ વાગ્યાની બદલે સાંજે ૫:૦૦ વાગ્યે પહોંચ્યું. મોડું થવાના કારણે પાયલટ અને ચાલક દળે ડ્યુટીનો સમય (FDTL) પૂરો થવાનું કહીને વિમાન ઉડાડવાનો ઇનકાર કરી દીધો. જેના કારણે ૧૭૯ મુસાફરોને બોર્ડિંગ પાસ મળ્યા છતાં આખી રાત હોટેલમાં રોકાવું પડ્યું. એરલાઇને બીજા દિવસે બુધવારે વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફરોને કોલકાતા રવાના કર્યા. વારાણસીથી કોલકાતા જતાં ૧૭૯ મુસાફરોએ સમયસર પહોંચીને ચેકિંગની પ્રક્રિયા પૂરી કરી દીધી હતી. તમામ મુસાફરો હોલ્ડ એરિયામાં બેસીને ફ્લાઇટની રાહ જાેઈ રહ્યા હતા, ત્યારે અચાનક સૂચના મળી કે, ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. પાયલટે ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહીને હાથ અદ્ધર કરી દીધા. આ સૂચના મળતાંની સાથે જ મુસાફરોનો ગુસ્સો ફાટ્યો અને ઍરપોર્ટ પર જાેરદાર હોબાળો થયો. ત્યારબાદ એરલાઇન દ્વારા મુસાફરોને સમજાવીને હોટેલ મોકલવામાં આવ્યા.
હકીકતમાં, મંગળવારે ગાઢ ધુમ્મસના કારણે વિમાનનું સંચાલન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. કોલકાતાથી જે વિમાન વારાણસી આવવાનું હતું, તે પહેલાં જ ૪ કલાક મોડું હતું, સાંજે ૫:૦૦ વાગ્યે જ્યારે વિમાન લેન્ડ થયું, ત્યાં સુધી ક્રૂ મેમ્બરની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી. સુરક્ષાના નિયમો હેઠળ થાકેલા પાયલટથી વિમાન ઉડાડી ન શકાય, જેના કારણે એરલાઇનને આ ર્નિણય લેવો પડ્યો.
ઍરપોર્ટ ડિરેક્ટર પુનીત ગુપ્તાએ સ્પષ્ટ કર્યું કે, પાયલટ અને ક્રૂ મેમ્બર્સ માટે ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમ લાગુ પડે છે. તે સમયે વૈકલ્પિક પાયલટ અને ક્રૂ મેમ્બર હાજર ન હતા, જેના કારણે વિમાનને કો ગ્રાઉન્ડેડ કરવું પડ્યું. મુસાફરોના હોબાળા બાદ બુધવારે બીજી વ્યવસ્થા કરવામાં આવી અને તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા.




