
ટીમ ઈન્ડિયાની વધશે મુશ્કેલી વોશિંગ્ટન સુંદર શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ ગુમાવી શકે છે ૨૬ વર્ષીય સુંદર હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે ખેલાડીઓ હાલમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)માં તેમની સંબંધિત ઇજાઓમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહ અને યુવા બેટ્સમેન સુદર્શનને શરૂઆતમાં શ્રીલંકા શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યા હતા, જે ફિટનેસ ક્લિયરન્સને આધીન હતા, પરંતુ પછીથી તેમને બહાર કરવામાં આવ્યા હતા. બુમરાહ ઘૂંટણની ઇજાનો સામનો કરી રહ્યો છે, જ્યારે સુદર્શનને તેના પગના અંગૂઠામાં ઇજા છે.
૨૬ વર્ષીય સુંદર હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે. ગયા મહિને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી દરમિયાન તેને જમણા પગના સ્નાયુમાં ઈજા થઈ હતી. સુંદર શ્રીલંકા સામેની પહેલી મેચ માટે ઉપલબ્ધ નહોતો. બીજી ટેસ્ટ માટે તે ફિટ થવાની અપેક્ષા હતી. જાેકે, હવે તે આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સુંદરની વાપસી અંગે ન તો ર્ઝ્રઈ કે ન તો ભારતીય ટીમ મેનેજમેન્ટ ઉતાવળમાં છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓની વધતી સંખ્યાને જાેતાં સુંદર સાથે સાવચેતીભર્યું વલણ અપનાવવામાં આવશે.
BCCI ના એક સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, હાલમાં, વોશિંગ્ટન સુંદર શ્રીલંકા જાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે.
ટીમ મેનેજમેન્ટને તે મુજબ યોજના બનાવવાનું કહેવામાં આવ્યું છે. BCCI મેડિકલ ટીમ તેને ટેસ્ટ મેચમાં ફિલ્ડિંગ કરવામાં સાવચેતી રાખી રહી છે. એવા કિસ્સાઓ બન્યા છે કે ખેલાડીઓ ઈજાઓમાંથી સ્વસ્થ થયા પછી તરત જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વોશિંગ્ટનની પસંદગી ફક્ત બીજી ટેસ્ટ માટે કરવામાં આવી હતી. ગયા મહિને ઈંગ્લેન્ડમાં ઈજા થયા પછી તે વધુ રમ્યો નથી.
જાે સુંદર શ્રીલંકા શ્રેણીમાંથી બહાર થાય છે, તો પસંદગીકારો આ ઓલરાઉન્ડરના સ્થાને કોઈ ખેલાડીની જાહેરાત કરે તેવી શક્યતા ઓછી છે. પસંદગીકારોએ પહેલાથી જ ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. એક સૂત્રએ જણાવ્યું છે કે, જાે વોશિંગ્ટન ટીમમાં જાેડાય છે, તો તે ૧૬મો સભ્ય હશે.
હવે એ જાેવાનું છે કે શું તેને કોઈપણ પ્રેક્ટિસ મેચ વિના ટેસ્ટ મેચ માટે મોકલવો એ યોગ્ય પગલું છે. આવતા અઠવાડિયે સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવશે. નોંધનીય છે કે, BCCI એ અગાઉ બુમરાહના સ્થાને જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીની પસંદગી કરી હતી, જ્યારે સુદર્શનની જગ્યાએ સરફરાઝ ખાનને લાવવામાં આવ્યો હતો.




