
નેતન્યાહૂએ ઈરાન પર હુમલાનું મુખ્ય કારણ જણાવ્યું ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે, ઈરાને હથિયાર મૂકવા જ પડશે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતાં તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરુ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતાં કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં જાહેરાત કરી છે કે, ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન દ્વારા પેદા થયેલા અસ્તિત્વના જાેખમને દૂર કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશનની શરુઆત કરવામાં આવી છે. આ ઐતિહાસિક નેતૃત્વ માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૪૭ વર્ષોથી આયતોલ્લા શાસન ડેથ ઑફ ઈઝરાયલ અને ડેથ ઑફ અમેરિકાના નારા લગાવીને નિર્દોષોનું લોહી વહાવતું આવ્યું છે. આ ખૂની અને આતંકવાદી શાસનને એવા પરમાણુ હથિયારોથી સજ્જ થવા દેવામાં આવશે નહીં જે સમગ્ર માનવજાત માટે ખતરો બની શકે.
આ ઓપરેશન લાયન્સ રોર દ્વારા ઈરાનના પર્સિયન, કુર્દ, અઝેરી, બલોચ અને અહવાઝી જેવા તમામ સમુદાયોને અત્યાચારી શાસનની ઝંઝાળમાંથી મુક્ત કરી, ઈરાનમાં શાંતિ અને સ્વતંત્રતાના મૂલ્યો લાવવાની તક મળશે. વડાપ્રધાને ઈઝરાયલના નાગરિકોને આગામી દિવસોમાં ધૈર્ય રાખવા અને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે, સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આપણે સાથે મળીને લડીશું અને ઈઝરાયલની અખંડિતતા સુનિશ્ચિત કરીશું.




