
ભારત-આસિયાનના સંબંધોમાં પ્રગતિ થઈ : મોદી પીએમ મોદીએ આસિયાન-ભારત સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો આસિયાન સાથેના ભારતના સંબંધોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક ભાગીદારીના મજબૂત બંધન તરીકે ઓળખાવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (૨૬મી ઓક્ટોબર) મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત આસિયાન-ભારત સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આસિયાન સાથેના ભારતના સંબંધોને માત્ર ભૌગોલિક નહીં, પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ભાગીદારીના મજબૂત બંધન તરીકે ઓળખાવ્યા હતા. તેમમે સફળ અધ્યક્ષપદ માટે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, મને મારા આસિયાન પરિવારને ફરી એકવાર મળવાની તક મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાનની વ્યાપક ભાગીદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, ભારત અને આસિયાન એકસાથે વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે ફક્ત ભૂગોળ દ્વારા જ નહીં પરંતુ ઊંડા ઐતિહાસિક સંબંધો અને સહિયારા મૂલ્યો દ્વારા પણ જાેડાયેલા છીએ. આપણે ફક્ત વેપાર જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ભાગીદારો પણ છીએ.
ભારપૂર્વક પીએમ મોદીએ કહ્યું કે, આસિયાન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે. ભારતે હંમેશા આસિયાનની કેન્દ્રીયતા (છજીઈછદ્ગ ઝ્રીહંટ્ઠિઙ્મૈંઅ) અને ઈન્ડો-પેસિફિક પર આસિયાનના આઉટલુકને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
પીએમ મોદીએ અનિશ્ચિતતાના વર્તમાન સમયગાળામાં પણ ભારત-આસિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સતત પ્રગતિની પ્રશંસા કરી. તેમણે કહ્યું, આપણી મજબૂત ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક શક્તિશાળી પાયા તરીકે ઉભરી રહી છે.
આસિયાન સમિટની થીમ ઈનફ્લૂસેવિટી એન્ડ સસ્ટેનેબિલિટીને પણ સમર્થન આપતા તેમણે કહ્યું કે, આ થીમ ડિજિટલ સમાવેશ હોય કે ફુડ સિક્ટોરિટી અને રિસિલિયન્ટ સપ્લાય ચેન સુનિશ્ચિત કરવી. તમામ સહિયારા પ્રયાસોમાં સ્પષ્ટપણે જાેવા મળે છે, અને ભારત આ દિશામાં સાથે મળીને આગળ વધવા પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર ૨૭મી ઓક્ટોબરે કુઆલાલંપુરમાં યોજાનારી ૨૦મી પૂર્વ એશિયા સમિટમાં પ્રધાનમંત્રી વતી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આસિયાનમાં ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણાં મોટા દેશો સંવાદ ભાગીદારો છે.




