
પ્રદૂષણ ઘટાડવા માટે તમે શું પગલા લીધા : સુપ્રીમ દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી અમે ચૂપ ના બેસી શકીએ, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડી શકાય છે : અમે કોવિડ-૧૯ વખતે આકાશ સંપૂર્ણ સ્વચ્છ જાેયું હતું
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણની આજે (૧ ડિસેમ્બર) સુનાવણી કરતી વખતે સરકારની આકરી ઝાટકણી કાઢી પ્રદૂષણ ઘટાડવાનો પ્લાન માંગ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે કોવિડ-૧૯ વખતે દિલ્હીના આકાશમાં સ્થિતિ અંગેની પણ ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમે ચૂપ ના બેસી શકીએ. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડી શકા છે. અમે કોવિડ-૧૯ વખતે આકાશ સંપૂર્ણ સ્વચ્છ જાેયું હતું. તે વખતે દિલ્હીના લોકો પ્રદૂષણની અડચણ વગર આકાશમાં તારા જાેઈ શકતા હતા.
પરાલી સળગાવવાથી પણ પ્રદૂષણ વધ્યું છે, પરંતુ આ મુદ્દાને રાજકીય અને અહંકારની લડાઈ ન બનાવવી જાેઈએ. માત્ર પરાલી સળગાવવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું નથી. અન્ય કારણે વધેલું પ્રદૂષણ ઘટાડવા માટે તમે શું પગલા લીધા, તેની માહિતી આપો.’
સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અને સરકારને પૂછ્યું છે કે, ‘તમે પ્રદૂષણ ઘટાડવા માટે શું યોજના બનાવી છે? CAQM અને સત્તાવાળાઓએ કમર કસવી જાેઈએ અને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ઘટાડવા માટેના પગલા પર વિચાર કરવો જાેઈએ. પ્રદૂષણ ઘટાડવા માટે જે રીતે યોજનાઓ ચલાવાઈ રહી છે, તેનાથી અમે ચિંતિત છીએ.’
સુનાવણી દરમિયાન CAQM કોર્ટને કહ્યું છે કે, અમે હિતધારકોની સલાહ લીધી છે. તો એએસજીએ કોર્ટને કહ્યું કે, અમે તમામ સત્તાવાળાઓ હરિયાણા, પંજાબ, સીપીસીબી વગેરે પર કરેલી કાર્યવાહીનો રિપોર્ટ દાખલ કરી શકીએ છીએ. આ દલીલ બાદ ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, અમે બેકાર ના બેસી શકીએ, અમે માની પણ ન શકીએ અને અંદાજાે પણ ન લગાવી શકીએ. નિષ્ણાતો પાસેથી સમાધાન શોધવું જાેઈએ. કોર્ટ પાસે સમાધાન હોઈ શકે છે અને ન પણ હોઈ શકે. પરંતુ અમે નિશ્ચિતરૂપે તમામ હિતધારકોને એક સાથે બેસવા અને વિચારણા કરાવ માટે એક મંચ આપી શકીએ.’
તમામની દલીલો સાંભળ્યા બાદ સીજેઆઈએ દિલ્હીમાં પરાલી સળગાવવાના કારણ સિવાય પ્રદૂષણ અટકાવવા માટે જે અસરદાર ઉપાયો કરાયા છે, તેનો રિપોર્ટ જમા કરવા CAQMને આદેશ આપ્યો છે. કોર્ટ હવે આગામી સુનાવણી ૧૦ ડિસેમ્બરે હાથ ધરશે.




