
GST સ્લેબમાં ફેરફાર અંગેના ર્નિણયને PM મોદીએ ગણાવ્યો ઐતિહાસિક.કેન્દ્ર સરકારના આ ર્નિણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે કરમાંથી મુક્તિ આપવામાં આવી છ.ય્જી્ કાઉન્સિલની ૫૬મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા, જેનાથી સામાન્ય લોકો તેમજ ઉદ્યોગપતિઓને સીધી રાહત મળશે. બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, ૫% અને ૧૮%. એટલે કે, ૧૨% અને ૨૮% સ્લેબ નાબૂદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ ર્નિણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ર્નિણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે આગામી પેઢીના GST સુધારા સામાન્ય માણસનું જીવન સરળ બનાવશે અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. પીએમ મોદીએ એક X પોસ્ટમાં કહ્યું, “મારા સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન, મેં GST આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઇરાદા વિશે વાત કરી હતી. કેન્દ્ર સરકારે વ્યાપક ય્જી્ દરો અને પ્રક્રિયાગત સુધારાઓને તર્કસંગત બનાવવા માટે એક વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યાે હતો, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.” તેમણે વધુમાં કહ્યું, “મને જણાવતા આનંદ થાય છે કે કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ કરતી GST કાઉન્સિલ ય્જી્ના દર ઘટાડા અને સુધારાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર સામૂહિક રીતે સંમત થઈ છે, જેનાથી સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે. વ્યાપક સુધારાઓ આપણા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને બધા માટે, ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયો માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે.”
