
તમામ સભ્યોને આરોપ-પ્રત્યારોપથી બચીને ચૂંટણી સુધારા પર કેન્દ્રિત રહેવા માટે નિવેદન આપ્યું હતું.સંસદના શિયાળું સત્ર દરમિયાન મંગળવારે (૯ ડિસેમ્બર) લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે. ચર્ચામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થી લઈને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની વિશ્વસનીયતાથી લઈને રાજકીય પાર્ટીને મળતા ફન્ડ પર વાત થઈ રહી છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. ચર્ચાની શરૂઆત પહેલાં સ્પીકર ઓમ બિરલાએ તેને સંવેદનશીલ ચર્ચા જણાવીને તમામ સભ્યોને આરોપ-પ્રત્યારોપથી બચીને ચૂંટણી સુધારા પર કેન્દ્રિત રહેવા માટે નિવેદન આપ્યું હતું.
મનીષ તિવારીએ ચર્ચાની શરૂઆતમાં કહ્યું કે, લોકતંત્રમાં મતદાર અને રાજકીય પાર્ટી મોટા ભાગીદાર છે. ચૂંટણી માટે એક ન્યૂટ્રલ અમ્પાયરની જરૂર છે, જેને જાેતા ચૂંટણી પંચ બનાવવામાં આવ્યું હતું. રાજીવ ગાંધીની સરકારે દેશમાં સૌથી મોટું ચૂંટણી સુધારનું કામ કર્યું હતું. તેમણે ૧૮ વર્ષથી વધુની ઉંમરના લોકોને મતદાન અધિકાર આપ્યો. પરંતુ, આજે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સુધારાની પ્રાથમિક જરૂરિયાત ૨૦૨૩ના કાયદામાં સુધારો કરવાની છે. તિવારીએ માંગ કરી કે, આમાં બે અન્ય સભ્યોને જાેડવામાં આવે. ચૂંટણી પંચની નિયુક્તિની કમિટીમાં સરકાર અને વિપક્ષના બે-બે લોકો હોવા જાેઈએ. આ સિવાય તેમાં CJI નો પણ સમાવેશ કરવો જાેઈએ.
SIR નો ઉલ્લેખ કરતા કોંગ્રેસ સાંસદે કહ્યું કે, અનેક પ્રદેશોમાં જીૈંઇ થઈ રહ્યું છે. ચૂંટણી પંચ પાસે કાયદાકીય રીતે SIR કરાવવાનો કોઈ અધિકાર નથી. પંચનું કહેવું છે કે, સેક્શન ૨૧ હેઠળ તેમને આ અધિકાર મળે છે. બાદમાં મનીષ તિવારીએ આખા સેક્શનને વાંચ્યું અને કહ્યું કે, ન તો બંધારણમાં અને ન તો કાયદામાં SIR ની કોઈ જાેગવાઈ છે. ચૂંટણી પંચને એક હથિયાર તરીકે SIR આપવામાં આવ્યું હતું. જાે મતદાર યાદીમાં કોઈ વિસંગતતા હોય, તો લેખિત કારણો આપ્યા પછી જ તેને સુધારવા માટે SIR કરી શકાય છે. સરકારે દરેક મતવિસ્તારમાં વિસંગતતાઓની વિગતો અને જીૈંઇ શા માટે જરૂરી છે તે ગૃહ સમક્ષ રજૂ કરવું જાેઈએ.




