
રાષ્ટ્રપતિના હસ્તે ૧૪ વર્ષના ખેલાડીનું ખાસ સન્માન.વૈભવ સૂર્યવંશીને અપાયો બાળકોનો સૌથી મોટો પુરસ્કાર.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વૈભવ સૂર્યવંસીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.વૈભવ સૂર્યવંશી તાજેતરના સમયમાં ભાગ્યે જ જાેવા મળે તેવું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે, દેશ અને દુનિયાભરમાં પોતાની છાપ છોડી છે. હવે તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે તે બિહારની વિજય હજારે ટ્રોફીની મેચ રમ્યો નથી.
વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં બિહાર માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં ૮૪ બોલમાં કુલ ૧૯૦ રન બનાવ્યા હતા, જેમાં ૧૬ ચોગ્ગા અને ૧૫ છગ્ગા ફટકાર્યા હતા. બાદમાં તે મણિપુર સામેની મેચ ચૂકી ગયો કારણ કે તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે દિલ્હી જવું પડ્યું હતું.
વૈભવ સૂર્યવંશીને જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે ભારત છ અને ભારતીય અંડર-૧૯ ટીમો માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. તે IPL ન્માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે અને આ વખતે પણ ટીમે તેને જાળવી રાખ્યો છે. IPL ૨૦૨૫ માં ૭ મેચમાં ૨૫૨ રન બનાવીને તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ પ્રસંગે કહ્યું, “તમારી અસાધારણ પ્રતિભાએ બહાદુરી, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની તેજસ્વીતા દર્શાવી છે. તમે બધાએ પ્રશંસનીય કાર્ય કર્યું છે. સમયની મર્યાદાને કારણે, હું ફક્ત થોડા બાળકોના નામ આપી શકું છું, પરંતુ આજે સન્માનિત દરેક બાળક સમાન રીતે આદરણીય છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વીર બાલ દિવસ એ ગુરુ ગોવિંદ સિંહના પુત્રોના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રીએ ૯ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ નિમિત્તે જાહેરાત કરી હતી કે ૨૬ ડિસેમ્બરને તેમના પુત્રો સાહિબજાદા બાબા જાેરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની યાદમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવશે, જેમનું બલિદાન આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે.
વિજ્ઞાન ભવનમાં જ્યારે વૈભવનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે આખું સદન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. વૈભવના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર આ ગર્વની ક્ષણ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, “અમારા માટે આ ગર્વની ક્ષણ છે. દેશના રાષ્ટ્રપતિના હસ્તે વૈભવને બાળ પુરસ્કાર મળ્યો છે અને તેમણે વૈભવના વખાણ પણ કર્યા.”




