
મદન લાલે કુલદીપ વિશે કહ્યું.કુલદીપ યાદવને તેની અનોખી બોલિંગ સ્ટાઈલને કારણે ટીમમાં સામેલ કરવો જાેઈએ.આ ટુર્નામેન્ટ ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૧૦ તારીખે ભારતીય ક્રિકેટ ટીમ UAE સામે પોતાની પહેલી મેચ રમશે.
એશિયા કપ ૨૦૨૫ ૯ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ૧૫ સભ્યોની ટીમમાં એક કરતાં વધુ મેચ વિનર ખેલાડી છે. કોઈપણ ખેલાડીને બહાર રાખવો સરળ રહેશે નહીં. ટીમ પસંદગી દરમિયાન પણ પસંદગીકારોએ ઘણી વિચારણા કરવી પડી હતી. હવે લોકો પ્લેઇંગ-૧૧ વિશે અલગ અલગ ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર માને છે કે સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ-૧૧માં રાખવો જાેઈએ. તે મેચ વિનર સાબિત થઈ શકે છે.

મદન લાલે કુલદીપ વિશે કહ્યું, “કુલદીપ યાદવને તેની અનોખી બોલિંગ સ્ટાઈલને કારણે ટીમમાં સામેલ કરવો જાેઈએ. T૨૦ ક્રિકેટમાં તેની સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે.
જાેકે, અંતિમ ર્નિણય વિકેટની સ્થિતિ અને ટીમ કોમ્બિનેશન પર આધાર રાખે છે.” કુલદીપને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. તેને એક પણ મેચમાં મોકો આપવામાં આવ્યો નહોતો. હવે એ જાેવાનું બાકી છે કે તે એશિયા કપમાં રમી શકશે કે નહીં.

મદન લાલે ભારતીય ટીમને ટુર્નામેન્ટ માટે મજબૂત દાવેદાર ગણાવી. તેમણે કહ્યું, ભારત તેની ઉત્તમ ટીમને કારણે મજબૂત દાવેદાર છે. ્૨૦ ફોર્મેટની અનિશ્ચિતતા અને પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના પ્રદર્શનને ધ્યાનમાં લેતા, તે મહત્વપૂર્ણ છે. અફઘાનિસ્તાન હાલમાં સારું રમી રહ્યું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ટીમો ેંછઈ સાથે ત્રિકોણીય શ્રેણી રમી રહી છે. આમાં, અફઘાન ટીમે પાકિસ્તાનને એક મેચમાં હરાવ્યું હતું.
શ્રેયસ અય્યરની પસંદગી ન થવાથી મદન લાલ નારાજ હતા. તેમનું માનવું છે કે અય્યરને સ્થાન આપવું જાેઈતું હતું. તેમણે કહ્યું, “ટીમ સંયોજન પર વિવાદ છે, ખાસ કરીને શ્રેયસ અય્યરને બહાર રાખવા અંગે, કારણ કે પસંદગી ઘણીવાર પસંદગીકારો અને કોચ દ્વારા નક્કી કરવામાં આવે છે.




