
ભાજપે કેરલમમાં ૪૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી બંગાળ ચૂંટણી માટે ભાજપે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી પાર્ટીએ નેતા પ્રતિપક્ષ સુવેંદુ અધિકારીને નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુરથી ચૂંટણી લડાવવાનો ર્નિણય કર્યો છે
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ નેતા પ્રતિપક્ષ સુવેંદુ અધિકારીને નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુરથી ચૂંટણી લડાવવાનો ર્નિણય કર્યો છે, જ્યાંથી મમતા બેનર્જી ચૂંટણી લડે છે અને હાલમાં ત્યાંથી ધારાસભ્ય પણ છે. ભાજપમાં સામેલ થતાં પહેલા મમતા બેનર્જીના નજીક રહેલા સુવેંદુ અધિકારીને ભવાનીપુરથી ચૂંટણી લડાવવાનો ર્નિણયથી ફરી એક વાર બંને નેતાઓ વચ્ચે રાજકીય ટકરાવની પ્રબળ સંભાવના પેદા થઈ ગઈ છે.
જણાવી દઈએ કે, પાછલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ સીટ પરથી સુવેંદુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો હતો, પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ભવાનીપુરથી ટીએમસી ધારાસભ્ય સોવનદેવ ચટ્ટોપાધ્યાયે મમતા માટે પોતાની સીટ છોડવાનો ર્નિણય કર્યો હતો અને અહીંથી તેઓ પેટાચૂંટણીમાં જીતીને બંગાળ વિધાનસભામાં પહોંચ્યા હતા. ભાજપ દ્વારા આ મત વિસ્તારમાંથી અધિકારીને મેદાનમાં ઉતારવાનો ર્નિણય ટીએમસીના નેતૃત્વને તેમના જ ગઢમાં પડકાર આપવાની આક્રમક રણનીતિના સંકેત આપે છે.
ભાજપે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને ખડગપુર સદરથી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પોતાની ફાયરબ્રાન્ડ મહિલા નેતા અગ્નિમિત્રા પોલને આસનસોલ દક્ષિણથી ચૂંટણી લડાવવાનો ર્નિણય કર્યો છે, જ્યારે પૂર્વ રાજ્યસભા સાંસદ સ્વપન દાસગુપ્તા રાસબિહારી નિર્વાચન મત વિસ્તારથી ચૂંટણી લડશે. ભાજપે કાલીગંજથી બાપન ઘોષ, ડાયમંડ હાર્બરથી દીપક કુમાર હલદર, આસનસોલ ઉત્તરથી કૃષ્ણેંદુ મુખર્જી, હાસનથી નિખિલ બેનર્જી, કૂચબિહાર ઉત્તરથી સુકુમાર રોય અને સિલિગુડીથી શંકર ઘોષને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે પહેલી યાદી ભારતીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખની ઘોષણાના એક દિવસ પછી આવી છે.
આયોગે જણાવ્યું છે કે બંગાળ ચૂંટણી બે તબક્કામાં ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલના રોજ યોજાશે. આસામ, કેરલમ, તમિલનાડૂ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના ચૂંટણી કાર્યક્રમની ઘોષણા કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે તમામ માટે ચૂંટણી પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે તબક્કાની સંખ્યા ઓછી કરવી જરુરી હતી.
બીજી તરફ, દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય કેરલમમાં પણ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. કેરલમ વિધાનસભા ચૂંટણી માટે પક્ષે ૪૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષના પાયાના કાર્યકરોથી લઈને જાણીતા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કેરલમમાં ભાજપના વધતા પ્રભાવને દર્શાવે છે. કેરલમમાં પરંપરાગત રીતે ચાલતા આવતા રાજકીય ગઠબંધનો વચ્ચે ભાજપ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવા માટે આ ઉમેદવારો દ્વારા જનતા સુધી પહોંચશે. બંને રાજ્યોમાં ઉમેદવારોની આ જાહેરાત સાથે જ ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
નેમોનથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખર ચૂંટણી લડશે. ત્યારે કઝાક્કુટ્ટમથી પૂર્વ વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનને ઉતાર્યા છે. ભાજપે મલયાલમની જાણિતા લેખત આર.શ્રીલેખાને વટ્ટિયૂરકાવુથી ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને મંજેશ્વરથી અને પી.કે.કૃષ્ણદાસને કાટ્ટાકાડાથી ટિકિટ આપી છે.




