
CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર.ઝ્રસ્ ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર.ઝ્રસ્ ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર.મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે હજુ પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ અજિત પવારના ભત્રિજા રોહિત પવારે પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે ગંભીર સવાલો ઉભા કરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો હતો, ત્યારબાદ મુખ્યમંત્રીએ ગૃહમંત્રાલયને પત્ર લખીને ઘટનાની વિસ્તૃત અને પારદર્સી તપાસ કરાવવાની માંગ કરી છે. રાજ્ય સરકારના આ પગલા બાદ દુર્ઘટનાની CBI તપાસ શરૂ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ NCPSP ના ધારાસભ્ય રોહિત પવારે ઘટનાની વિસ્તૃત તપાસ કરાવવાની આ માંગ કરી છે. રોહિતે પવારે ચોથી માર્ચે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ગંભીરતાથી તપાસ કરાવવાની માંગ કરી છે. ત્યાબાદ ફડણવીસે ગૃહમંત્રાલયને પત્ર લખીને કહ્યું કે, આ દુર્ઘટના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને ચાર અન્ય લોકોની મોત થઈ હતી, તેથી આ દુર્ઘટનાની નિષ્પક્ષ અને સમયસર તપાસ થવી જાેઈએ.
અગાઉ વર્ષ ૨૦૨૩માં વીએસઆર વેન્ચર કંપનીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અજિત પવાર જે વિમાનમાં હતા, તે પણ આ જ કંપનીનું હતું. ત્યારે મુખ્યમંત્રીએ પત્રમાં કહ્યું છે. કે, વિમાન ઓપરેટ કરનારી કંપની VSR વેન્ચરના સુરક્ષા રેકોર્ડ પર સવાલ ઉઠી રહ્યા છે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રી એવિએશન નિયામક દ્વારા પણ સુરક્ષા મામલે કોઈ ટિપ્પણી કરાઈ નથી, જેના કારણે નિયામક દેખરેખ અને નિયમોના પાલન પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
અજિત પવાર પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાયલોટની ડ્યૂટી પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટ મુજબ, છેલ્લી ઘડીએ પાયલોટ બદલવામાં આવ્યા હતા. ફ્લાઈટ ટ્યૂટી ટાઈમ લિમિટેશન નિયમનું પાલન થતું હતું કે નહીં, તેની પણ તપાસની માંગ કરવામાં આવી છે. ક્રૂની રિપોર્ટિંગ પ્રક્રિયા અને તેની તૈયારી મુદ્દે પણ આશંકા વ્યક્ત કરાઈ છે.
પત્રમાં એવું પણ કહેવાયું છે કે, વિમાનના મેન્ટેનન્સ રેકોર્ડ, ટેકનિકલ સ્થિતિ, ટેકનિકલ લૉગ, સુરક્ષા સિસ્ટમ અને રિપેરિંગ એજન્સીઓની ભૂમિકાની પણ તપાસ કરવા માંગ કરાઈ છે.
એર ટ્રાફિક કંટ્રોલ રેકોર્ડ, ફ્લાઈટ રડાર ડેટા અને ટ્રાન્સપોન્ડર સિગ્નલમાં અંતર જેવી બાબતોનો ગંભીરતાથી ઉલ્લેખ કરાયો છે. કૉકપિટ રેકોર્ડિંગ પર પણ આશંકા વ્યક્ત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ૨૮ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ બારામતીમાં એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. ત્યારબાદ વિપક્ષ સહિત અનેક નેતાઓએ દુર્ઘટનાને લઈને વિવિધ આક્ષેપો અને આશંકા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં વિપક્ષોએ પણ ઘટનાની પારદર્શી તપાસ કરાવવા રાજ્ય સરકાર પર દબાણ કર્યું હતું.




