
ઈન્ડિગોમાં મોટા ફેરફાર.CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી.બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પીટર એલ્બર્સના યોગદાન બદલ તેમનો આભાર માન્યો છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઈન્ડિગા એ આજે એક મહત્ત્વની માહિતી આપી છે. કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને હવે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક રાહુલ ભાટિયા વચગાળાના મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પીટર એલ્બર્સના યોગદાન બદલ તેમનો આભાર માન્યો છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. જ્યાં સુધી નવા કાયમી લીડરની નિમણૂક ન થાય ત્યાં સુધી રાહુલ ભાટિયા એરલાઇનનો તમામ વહીવટ સંભાળશે. કંપનીએ સંકેત આપ્યા છે કે નવા સીઈઓની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ચેરમેન વિક્રમ સિંહ મહેતાએ જણાવ્યું હતું કે, રાહુલ ભાટિયાના નેતૃત્વમાં કંપની તેની કાર્યક્ષમતા અને ગ્રાહકો પ્રત્યેની સેવાની ગુણવત્તાને વધુ મજબૂત બનાવશે.
રાહુલ ભાટિયાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ૨૨ વર્ષથી આ એરલાઇન સાથે જાેડાયેલા હોવાથી ગ્રાહકો અને કર્મચારીઓ પ્રત્યે મારી અંગત જવાબદારી છે. ઈન્ડિગો ભારતની સેવામાં અને વૈશ્વિક સ્તરે તેનું સન્માન વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.‘
ઈન્ડિગો હાલમાં ૪૦૦થી વધુ એરક્રાફ્ટ સાથે દરરોજ ૨૨૦૦થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. વર્ષ ૨૦૨૫માં તેને ‘બેસ્ટ એરલાઇન ઇન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા‘નો એવોર્ડ પણ મળ્યો હતો. ૯૫થી વધુ ઘરેલુ અને ૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોને જાેડતી ઈન્ડિગો આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન્સમાંની એક છે.




