
વન નેશન વન રેશન કાર્ડ યોજનાને એપ્રિલથી મોટો વેગ મળશે દેશભરના રાશનકાર્ડ ધારકોના હિતમાં કેન્દ્ર સરકારે લીધો મોટો ર્નિણય પુરવઠા વિભાગે પણ તેની મંજૂરી આપી દીધી છે, જેના કારણે લાભાર્થીઓ અને રાશન દુકાનદારો બંનેને રાહત મળશે
દેશભરમાં અમલી વન નેશન વન રેશન કાર્ડ યોજનાને એપ્રિલથી મોટો વેગ મળશે. પોર્ટેબિલિટી દ્વારા અનાજ વિતરણ પર લાગેલા રાશન દુકાનદારોના કોટાના પ્રતિબંધોને હટાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પુરવઠા વિભાગે પણ તેની મંજૂરી આપી દીધી છે, જેના કારણે લાભાર્થીઓ અને રાશન દુકાનદારો બંનેને રાહત મળશે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પાત્ર પરિવારોને સસ્તામાં અનાજ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિતરણ વ્યવસ્થામાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. પોર્ટેબિલિટી સુવિધા શરૂ થયા બાદ લાભાર્થીઓને દેશના કોઈપણ સસ્તા અનાજ દુકાનમાંથી રાશન લેવા મંજૂરી મળી છે; પરંતુ દુકાનદારોના નક્કી કોટાને કારણે કેટલીક જગ્યાએ ટેકનિકલ અડચણો ઊભી થઈ રહી હતી. હવે આ અડચણ દૂર થશે.
રાશન દુકાનદારોના સંગઠનોએ પોર્ટેબિલિટી લેવડ-દેવડ વધવાના કારણે વધારાના ૧૦થી ૧૫ ટકા અનાજ કોટા આપવાની માગ કરી હતી. ઘણાં શહેરોમાં પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રાશન લઈ રહ્યાં છે. જેના કારણે મૂળ દુકાનદારોના કોટાનું અનાજ ઓછું પડી રહ્યું હતું. સરકારે આ માગને માન્ય રાખી અને ૧ એપ્રિલથી માગ અનુસાર વધારાનું અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી દુકાનદારોનો સ્ટોક ઓછો પડવાની સમસ્યા દૂર થશે.
હવે કોઈપણ રાશનની દુકાનેથી અનાજ લેવું સરળ બનશે. પોર્ટેબિલિટી સુવિધાના કારણે પહેલાથી જ ગ્રાહકોને દુકાન બદલવાની આઝાદી મળી ચૂકી છે. રોજગાર, શિક્ષણ કે અન્ય કારણોસર શહેરમાં સ્થળાંતર કરતા પરિવારો અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોજી રળવા આવતા પ્રવાસી મજૂરોને આ સુવિધાથી મોટો ફાયદો મળશે.
આ પહેલા રાશન કાર્ડ કોઈ એક જ દુકાન સાથે જાેડાયેલું હોવાથી બીજા વિસ્તારમાં રહેતા લોકોને અનાજ મેળવવામાં મુશ્કેલી થતી હતી. અલગ કોટા ન હોવાથી પોર્ટેબિલિટી લેવડ-દેવડમાં સમસ્યા આવતી હતી. નવા ર્નિણય પછી કોઈપણ રાજ્ય કે શહેરના રાશન કાર્ડધારકોને દેશની કોઈપણ માન્ય રાશન દુકાનમાંથી અનાજ મેળવવું સરળ બની જશે. તેનાથી લાભાર્થીઓની સંખ્યા વધવાની પણ શક્યતા છે.
૧ એપ્રિલથી પોર્ટેબિલિટી માટે વધારાનો અનાજ કોટા મળશે. માગ અનુસાર દુકાનદારોને વધારાનો સ્ટોક મંજૂર કરવામાં આવ્યો છે. હવે દેશના કોઈપણ વિસ્તારમાં સસ્તું અનાજ ઉપલબ્ધ થઈ શકશે. જેનાથી લાભાર્થીઓને મોટી રાહત મળશે. આ ર્નિણયથી કોઈપણ પાત્ર લાભાર્થી અનાજથી વંચિત રહેશે નહીં, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને અન્ય વિસ્તારોમાં કામ કરવા જતા પ્રવાસી મજૂરોને તેનો સીધો લાભ મળશે.




