
ટેરિફને હથિયાર બનાવતા દેશોને સીતારમણની ચેતવણી.દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશેમજબૂત અર્થવ્યવસ્થા અપાવશે લાભ : સીતારમણ.વિશ્વભરમાં વૈશ્વિક વેપાર કરવાની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ સાથે પડકારો પણ વધી ગયા છે. ટેરિફ જેવા કરનો ઉપયોગ કરીને વૈશ્વિક વેપારને હથિયાર બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ મામલે કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે ચિંતા વ્યક્ત કરી છે. નાણામંત્રીએ ખાનગી મીડિયાના કાર્યક્રમમાં કહ્યું કે, આજના સમયમાં કર અને અન્ય રીતે વૈશ્વિક વેપારનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં ભારતે ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાનો રસ્તો નક્કી કરવો પડશે. જાે સમગ્ર આર્થિક વ્યવસ્થા મજબૂત હશે તો દેશને વધુ લાભ મળશે. વર્તમાન સ્થિતિ જાેતા એ સ્પષ્ટ છે કે, હવે વૈશ્વિક વેપાર મુક્ત અને નિષ્પક્ષ રહ્યો નથી.
સીતારમણે કહ્યું કે, ‘ભારતે માત્ર ટેરિફ જેવા કર પર ધ્યાન રાખવાની જરૂર નથી, પરંતુ મને લાગે છે કે, આપણી અર્થવ્યવસ્થાની તાકાત જ આપણને વધારાનો લાભ આપવાની છે.’
ભારત પર વારંવાર આક્ષેપનો જડબાતોડ જવાબ આપતા નાણાંમંત્રીએ કહ્યું કે, ‘ભારતને એવું કહીને લેક્ચર આપવામાં આવે છે કે, તમે ખૂબ જ અંતર્મુખી છો, તમે ટેરિફ કિંગ છો, વગેરે વગેરે… જાેકે હકીકત એ છે કે, આજે ટેરિફનો જ હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ભારત કરને હથિયાર બનાવવાનું ક્યારેય વિચારતું નથી. ભારત માત્ર પોતાના ઉદ્યોગોને શિકારીઓ દ્વાર થતા અયોગ્ય વેપારથી બચાવવા માટે પગલા ભરે છે’ આમ નાણાંમંત્રીએ તે દેશો તરફ ઈશારો કર્યો છે, જેઓ અયોગ્ય વ્યાપારથી પોતાનો સામાન ભારતીય બજારમાં ઠાલવે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ભારતને ટેરિફ કિંગ કહ્યો હતો. તેમણે ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ ઝિંક્યો છે. આમાંથી ૨૫ ટકા ટેરિફ રશિયા સાથે ભારતના ગાઢ સંબંધ હોવાના કારણે અને સસ્તામાં ક્રૂડ વેપાર ચાલી રહ્યો હોવાના કારણે ઝિંકવામાં આવ્યો છે. એટલું જ નહીં અમેરિકાના ટેરિફનો ભોગ બનેલા મેક્સિકોએ પણ તાજેતરમાં ભારત પર ટેરિફ ઝિંક્યો છે, ત્યારે આવા દેશોને નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે જડબાતોડ જવાબ આપ્યો છે.




