
ગાલે ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર કેપ્ટન શુભમન ગિલ નેટમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત ગિલને બોલ વાગવાથી અંગૂઠામાં ઈજા થઈ હતી : તેને તાત્કાલિક મેડિકલ સ્ટાફ પાસેથી સારવાર લેવી પડી હતી
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોલંબોમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન શુભમન ગિલને બોલ અંગૂઠા પર વાગ્યો હતો. આ ઘટના પછી તરત જ તેને મેડિકલ સ્ટાફની મદદ લેવા માટે નેટ છોડીને જવું પડ્યું હતું. ભારતીય ટીમ ૪ ઓગસ્ટના રોજ શ્રીલંકા પહોંચી હતી. ખેલાડીઓએ બીજા જ દિવસે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને ગુરુવારે ટીમ ટેસ્ટ શ્રેણી પહેલા સખત તૈયારીઓમાં વ્યસ્ત હતી. આ સેશન દરમિયાન ફાસ્ટ બોલરોનો સામનો કરતી વખતે ગિલને બોલ અંગૂઠા પર વાગ્યો હતો.
ઈજા પછી મેડિકલ સ્ટાફે ગિલની તાત્કાલિક સારવાર કરી. પ્રાથમિક અહેવાલો અનુસાર, ભારતીય કેપ્ટન નેટ પર પાછો ફર્યો અને સારવાર પછી ફરી બેટિંગ શરૂ કરી હતી, જેનાથી ટીમ મેનેજમેન્ટને રાહત મળી. હાલ માટે ઈજા ગંભીર લાગતી નથી.
કેચિંગ પ્રેક્ટિસ દરમિયાન તેને બીજી ઈજા થઈ. સ્લિપ કેચિંગ પ્રેક્ટિસ કરતી વખતે બોલ ફરીથી તેના જમણા હાથમાં વાગ્યો, જેના કારણે તે પીડાથી બૂમો પાડવા લાગ્યો. ફિઝિયોએ આઈસ પેક લગાવ્યો.
ટીમ ઈન્ડિયા શુક્રવારથી સ્થાનિક શ્રીલંકા ઠૈં સામે ત્રણ દિવસીય વોર્મ-અપ મેચ રમશે. પરિસ્થિતિને જાેતાં ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓ સાથે કોઈ જાેખમ લેવા માંગશે નહીં, કારણ કે ટીમ પહેલેથી જ ઈજાઓથી ઝઝૂમી રહી છે.
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે આ ટેસ્ટ શ્રેણીમાંથી પહેલાથી જ બહાર થઈ ગયો છે. મોહમ્મદ સિરાજ તેની ગેરહાજરીમાં પેસ આક્રમણનું નેતૃત્વ કરશે. ઓલરાઉન્ડર શિવમ દુબે પણ ઇંગ્લેન્ડ સામેની ર્ંડ્ઢૈં શ્રેણી દરમિયાન થયેલી હેમસ્ટ્રિંગની ઇજામાંથી બહાર નીકળી શક્યો નથી અને આ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી.
ભારતના ફાસ્ટ બોલિંગ વિભાગમાં સતત ઇજાઓએ ચિંતા વધારી છે. હર્ષિત રાણા પહેલેથી જ સાઇડલાઇન છે અને ટીમ શ્રીલંકા પ્રવાસમાં નવા સંયોજન સાથે રમશે.
ભારતીય ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, સાઈ સુદર્શન (ફિટનેસ ક્લિયરન્સને આધીન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, આકીબ નબી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બ્રાર અને સારાંશ જૈન.




