
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
આજે સવારે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ગાંધીનગરથી આત્મીય
વિદાય આપી હતી. વડાપ્રધાનના આગમનથી સમગ્ર રાજભવન ગૌરવાન્વિત થયું.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાનના આગમનથી
સમગ્ર રાજભવન ગૌરવન્વિત થયુ હતું. તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાનનો આ
પ્રવાસ ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઉર્જા અને પ્રેરણા પ્રદાન કરનાર
સાબિત થશે. તેમની લોક કલ્યાણકારી દ્રષ્ટી, સેવાભાવના અને મજબુત
સંકલ્પ શકિત દરેક નાગરીક માટે પ્રેરણાદાયી છે.




