
ટ્રમ્પે કહ્યું,-’યુદ્ધ ખતમ થવાની ખૂબ નજીક’ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની ‘સાયલન્ટ પ્રેશર’ની નીતિ છેલ્લા ૨૪ કલાકમાં ૨૦થી વધુ કોમર્શિયલ જહાજાે કોઈપણ અવરોધ વગર આ રસ્તા પરથી પસાર થયા હતા અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર લાગુ કરવામાં આવેલા નૌસેનિક નાકાબંધીની અસર પહેલા જ દિવસે જાેવા મળી રહી છે. રિપોર્ટ્સ મુજબ, બ્લોકેડ(નાકાબંધી)ના પહેલા દિવસે ઈરાનના કોઈપણ બંદર પરથી કોઈ જહાજ બહાર નીકળ્યું નથી. એટલું જ નહીં, લગભગ છ વેપારી જહાજાે અમેરિકન ચેતવણી બાદ રસ્તામાંથી જ પાછા ફરી ગયા હતા. દાવો છે કે છેલ્લા ૨૪ કલાકમાં સ્ટ્રેટમાંથી ૨૦થી વધુ જહાજાે પસાર થયા છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ‘યુદ્ધ ખતમ થવાની નજીક’ છે.રસપ્રદ વાત એ રહી કે આ દરમિયાન એક પણ ગોળી ચાલી નથી અને કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની જરૂર પડી નથી. એટલે કે અથડામણ વગર જ અમેરિકાએ પોતાની વ્યૂહનીતિની અસર બતાવી દીધી છે. નિષ્ણાતો તેને ‘સાયલન્ટ પ્રેશર’ની નીતિ ગણાવી રહ્યા છે, જ્યાં તાકાતનો ઉપયોગ કર્યા વિના જ વિરોધીને પીછેહઠ કરવા મજબૂર કરવામાં આવે છે.જાે કે બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતો આંતરરાષ્ટ્રીય ટ્રાફિક સામાન્ય રહ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦થી વધુ કોમર્શિયલ જહાજાે કોઈપણ અવરોધ વગર આ રસ્તા પરથી પસાર થયા હતા. તેનાથી સ્પષ્ટ છે કે અમેરિકાની નાકાબંધી અત્યારે માત્ર ઈરાન સાથે જાેડાયેલા જહાજાેને ટાર્ગેટ કરી રહી છે, જ્યારે બાકીના દેશો માટે રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે.અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિને પોતાની મોટી રણનૈતિક સફળતા તરીકે રજૂ કરી છે. તેમણે દાવો કર્યાે હતો કે આ ઓપરેશન પ્રભાવશાળી રહ્યું છે અને ઈરાન અથડામણ વગર જ દબાણમાં આવી ગયું છે. આ ઉપરાંત ફોક્સ ન્યૂઝ સાથેના એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું, ‘જાે આપણે આ પગલું ન ભર્યું હોત, તો આજે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુદ્ધ ખતમ થઈ ગયું છે, તો તેમણે જવાબ આપ્યો, ‘મને લાગે છે કે તે હવે ખતમ થવાની ખૂબ નજીક છે.’ફોક્સ ન્યૂઝના પત્રકાર મારિયા બાર્ટિરોમોના જણાવ્યા મુજબ ટ્રમ્પે ખાનગી વાતચીતમાં ત્યાં સુધી કહી દીધું કે ‘યુદ્ધ ખતમ થઈ ચૂક્યું છે.’ જાે કે સાર્વજનિક રૂપે તેમણે તેને ‘લગભગ ખતમ‘ ગણાવ્યું છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે હજુ પણ સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર થઈ નથી. સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે ઈરાને હાલમાં સીધા સંઘર્ષથી બચવાનો રસ્તો પસંદ કર્યાે છે. જહાજાેનું પાછા ફરવું એ સંકેત છે કે તેહરાન અત્યારે સ્થિતિને વધુ ભડકાવવા માંગતું નથી. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે સાચી કસોટી હજુ બાકી છે.ઉપરાષ્ટ્ર પ્રમુખ જે.ડી. વેન્સે જણાવ્યું છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલો નાજુક યુદ્ધવિરામ હજુ પણ અમલમાં છે, જેમાં હવે એક અઠવાડિયું બાકી છે. જાે કે તેમણે સ્વીકાર્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઊંડો અવિશ્વાસ છે, જેને રાતોરાત દૂર કરી શકાય તેમ નથી. યુદ્ધના અંત માટેની મંત્રણા આગામી બે દિવસમાં પાકિસ્તાનમાં ફરી શરૂ થઈ શકે છે.



