
‘યે જવાની હૈ દીવાની’ ફરી ચર્ચામાં ઓસ્કાર એકેડેમીએ શેર કર્યાે રણબીર-દીપિકાનો યાદગાર વીડિયો અયાન મુખર્જીના ર્નિદેશનમાં બનેલી ‘યે જવાની હૈ દીવાની’ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ફિલ્મને ઓસ્કાર પાછળની સંસ્થા, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર યાદ કરી છે. એકેડેમીએ ફિલ્મનું રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ દર્શાવતું એક યાદગાર દ્રશ્ય શેર કર્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભારતીય ચાહકો પણ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકેડેમીની આ પોસ્ટને કારણે ૨૦૧૩માં આવેલી આ ફિલ્મ ફરીથી ચર્ચામાં આવી છે.એકેડેમીએ શેર કરેલા વીડિયોમાં રણબીર કપૂરનો બન્ની અને દીપિકા પાદુકોણનો નૈના પાત્ર જાેવા મળે છે. આ દ્રશ્યમાં બંને જીવનમાં વર્તમાન ક્ષણનું મહત્વ સમજાવતા જાેવા મળે છે. નૈના બન્નીને સમજાવે છે કે જીવનમાં દરેક વસ્તુ એકસાથે મેળવી શકાતી નથી, તેથી જે ક્ષણ સામે છે તેનો આનંદ લેવો જાેઈએ. આ દ્રશ્ય ફિલ્મની લાગણીસભર ક્ષણોમાંથી એક છે અને આજે પણ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. એકેડેમીએ આ સીન સાથે એક અર્થપૂર્ણ સંદેશ પણ આપ્યો છે.આ દ્રશ્ય શેર કરતી વખતે એકેડેમીએ લખ્યું કે નૈના તરફથી મળતી આ યાદ આપણને સામે રહેલી વસ્તુનો આનંદ માણવાની પ્રેરણા આપે છે. એકેડેમીની આ પોસ્ટ બાદ ભારતીય સિનેમાના ચાહકોમાં ઉત્સાહ જાેવા મળ્યો. ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને રણબીર અને દીપિકાની જાેડી તથા ફિલ્મની પ્રશંસા કરી. કેટલાક ચાહકોએ મજાકિયા અંદાજમાં ભારતીય ફિલ્મોને એકેડેમી તરફથી મળતી આ પ્રકારની ઓળખને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી. આ પોસ્ટે ફરી એકવાર સાબિત કર્યું કે ‘યે જવાની હૈ દીવાની’નો ક્રેઝ વર્ષાે બાદ પણ ઓછો થયો નથી.અયાન મુખર્જીના ર્નિદેશનમાં બનેલી ‘યે જવાની હૈ દીવાની’ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આદિત્ય રોય કપૂર અને કલ્કી કોચલીન મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મની વાર્તામાં મિત્રતા, પ્રેમ, સપના, કારકિર્દી અને જીવનના મહત્વપૂર્ણ ર્નિણયો જેવા મુદ્દાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. રિલીઝ સમયે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી હતી અને સમય જતાં તેની લોકપ્રિયતા વધુ વધી. ફિલ્મના ગીતો, સંવાદો અને પાત્રો આજે પણ દર્શકોને પસંદ છે.એકેડેમીએ અગાઉ પણ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો એક યાદગાર સીન પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યાે હતો. હવે ‘યે જવાની હૈ દીવાની’ના સીનને સ્થાન મળતાં ભારતીય ચાહકોમાં ફરી ઉત્સાહ જાેવા મળ્યો છે. ખાસ કરીને રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના બન્ની-નૈના પાત્રો આજે પણ લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. એકેડેમીના પેજ પર ફિલ્મનો આ સીન શેર થવાથી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા ફરી શરૂ થઈ છે અને ચાહકો જૂની યાદોને તાજી કરી રહ્યા છે.




