
વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો.અમદાવાદ સોલા સિવિલમાં નોંધાયા ૧૩૯૯૧ કેસરાજ્યમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી અને તાવ જેવા રોગોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.રાજ્યમાં હાલ સવારે અને મોડી રાત્રે શિયાળો હોય તેવો અહેસાસ થાય છે, જ્યારે બાકીના સમયે ગરમીનો અનુભવ થાય છે. આમ રાજ્યમાં હાલ બેવડી ઋતુનો માહોલ જાેવા મળી રહ્યો છે. જે કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી અને તાવ જેવા રોગોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.અમદાવાદ શહેરમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ ખાતે ર્ંઁડ્ઢમાં ગત સપ્તાહ દરમિયાન ૧૩૯૯૧ કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેકશનના દર્દીઓમાં વધારો થવાના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જેમાં દર્દીઓને શરદી, ખાંસી, તાવ, આંખોમાં બળતરા જેવી ફરિયાદો જાેવા મળી છે. અમદાવાદ સોલા સિવિલમાં ૬૫૦ દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે.
અમદાવાદ સોલા સિવિલ ખાતે ડેન્ગ્યુના શંકાસ્પદ ૭૬ અને મેલેરિયાના ૫૧૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદ સોલા સિવિલમાં બાળકોની ઓપીડીમાં રોજના ૫૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં ૧૫ બાળ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને દાખલ કરવાની ફરજ પડી છે.બેવડી ઋતુને લીધે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતા સોલા સિવિલના ડોક્ટર કિરણ ગોસ્વામીએ અપીલ કરી છે કે, વાયરલ ઇન્ફેક્શનમાં દર્દીઓએ બેદરકારી રાખવી જાેખમી સાબિત થઈ શકે છે. વાયરલ ઇન્ફેક્શનમાં દર્દીને તુરંત સારવાર લેવી જરૂરી છે. સામાન્ય રીતે વાયરલ ઇન્ફેક્શન ૩ દિવસમાં દર્દીને રાહત થતી હતી, જે હવે ૫ થી ૭ દિવસ સુધી દર્દીઓને વાયરલ ઇન્ફેક્શનમાં હેરાન થવું પડી રહ્યું છે.




