
એક બાજુ વરસાદ અને બીજી બાજુ પાણી અને મચ્છરજન્ય બીમારીથી ૪ના મોત; સરકારી તંત્ર થયું વધુ એલર્ટ
લિંબાયતમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિરજ્યું
ચોમાસાની ઋતુ વચ્ચે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો પ્રતિદિન વકરી રહ્યો છે. આ દરમિયાન તાવ આવ્યા બાદ રાંદેરમાં બાળકી, સચીનમાં ધોરણ ૧૨ના વિધાથી અને કાપોદ્રમાં યુવાન તથા લિંબાયતમાં ઝાડા-ઉલ્ટી થયા બાદ વૃદ્ધાની તબિયત બગડતા મોત નિરજ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, રાંદેરના પાલનપુર પાટિયા રોડ પર રામનગર ખાતે રહેતા કરસન સોલંકીની સાત વર્ષીય પુત્રી ક્રિષ્નાને બે દિવસથી તાવ કણસતી હતી. ત્યારે ગુરુવારે (૨૦મી ઓગસ્ટ) સવારે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. બીજા બનાવમાં સચીનમાં પારડી કણદે ખાતે શિવનગર સોસાયટીમાં રહેતા ૧૬ વર્ષીય અક્ષ બ્રહ્મભટ્ટને તાવ સહિતની તકલીફ શરૂ થઈ હતી. જેથી મેડીકલ સ્ટોરમાંથી તેની દવા લાવ્યા હતા. જાેકે આજે સવારે તેને સારુ નહીં લાગતા ઘરમાં સુઈ ગયો હતો. તે બપોરે તેની માતાએ તેને જગાડ્યો હતો, પરંતુ તે ઉઠ્યો નહતો, તરત તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જાકે, ત્યા ડૉક્ટરોએ તને મૃત જાહેર કર્યો હતો. અક્ષ સચીની શાળામાં ધોરણ ૧૨માં કૉર્મસમાં અભ્યાસ કરતો હતો.
