
ભારતીય સૈન્યના બે જવાન શહીદ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ થયો શહીદ થયેલા બંને વીર જવાનો મહારાષ્ટ્રના વતની હતા, શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યા જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. મંગળવારે મોડી સાંજે ઉરીના કમલકોટ વિસ્તારમાં લાઇન ઓફ કન્ટ્રોલ પાસે અચાનક થયેલા એક જાેરદાર બ્લાસ્ટમાં ભારતીય સેનાના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો.
આ અકસ્માત તે સમયે થયો જ્યારે બંને બહાદુર જવાનો સરહદ પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે જવાનોને બચાવવાની તમામ કોશિશો નિષ્ફળ નીવડી હતી. આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર દેશ સહિત શહીદ જવાનોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દેશની રક્ષા કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા આ બંને વીર જવાનો મહારાષ્ટ્રના વતની હતા. શહીદ જવાનોની ઓળખ ચવ્હાણ વિક્રમ બાલકૃષ્ણ અને અર્જુન જાધવ રાજેન્દ્ર તરીકે થઈ છે. જેમાં વિક્રમ બાલકૃષ્ણ મહારાષ્ટ્રના ઐરોલીના રહેવાસી હતા, જ્યારે અર્જુન જાધવ રાજેન્દ્ર મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તાલુકાના શાહપુર ગામના વતની હતા. માતૃભૂમિની સેવા કાજે આપેલા આ સર્વોચ્ચ બલિદાનને રાષ્ટ્ર હંમેશા આદરપૂર્વક યાદ રાખશે.
સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કમલકોટ સેક્ટરમાં વિસ્ફોટ થયા બાદ તરત જ બંને જવાનોને અત્યંત ગંભીર હાલતમાં એરલિફ્ટ કરીને શ્રીનગરના બાદામીબાગ સ્થિત સેનાની ૯૨ બેઝ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર મિલિટરી ડૉક્ટરોની ટીમે તેમને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. જાેકે, બંને જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તમામ તબીબી પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને સારવાર દરમિયાન જ તેઓ વીરગતિ પામ્યા હતા.
આ આકસ્મિક વિસ્ફોટ ન્ર્ઝ્રના અત્યંત સંવેદનશીલ એવા કમલકોટ વિસ્તારમાં થયો હતો. લાઇન ઓફ કન્ટ્રોલ પર આવેલા આવા ફોરવર્ડ લોકેશન્સ પર અવારનવાર જૂની લેન્ડમાઇન્સ (બારૂદી સુરૂંગો) અથવા વણવપરાયેલા લશ્કરી દારૂગોળાના કારણે મોટો ખતરો બનેલો રહે છે. આ બ્લાસ્ટ કયા પ્રકારનો હતો અને તેની પાછળનું સચોટ કારણ શું હતું, તે જાણવા માટે સેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો માટે આવા જાેખમો હંમેશા એક મોટો પડકાર રહ્યા છે.



