
સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો.બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી.દીકરીને સંપત્તિમાં ભાગ આપવાનો આદેશ આપવામાં આવ્યાસંપત્તિના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અન્ય સમુદાયના યુવક સાથે લગ્ન કરવા બદલ પિતા દ્વારા દીકરીને સંપત્તિમાંથી બેદખલ કરવાના કેસમાં, કોર્ટે પિતાની વસિયતને જ સર્વોપરી ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે વસિયત કરનારની ઈચ્છાને સર્વોચ્ચ માનવામાં આવશે. આ ર્નિણય સાથે, સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના એ ર્નિણયોને પલટાવી દીધા છે, જેમાં દીકરીને સંપત્તિમાં ભાગ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ મામલો કેરળનો છે, જ્યાં એન.એસ. શ્રીધરન નામના વ્યક્તિએ ૧૯૮૮માં બનાવેલી પોતાની રજિસ્ટર્ડ વસિયતમાં, તેમના નવ બાળકોમાંથી એક દીકરી શૈલા જાેસેફને સંપત્તિમાંથી વંચિત રાખી હતી. આ પાછળનું કારણ એ હતું કે શૈલાએ પોતાના સમુદાયની બહાર લગ્ન કર્યા હતા. આ કેસમાં નીચલી અદાલતોએ પિતાની વસિયતને બાજુ પર રાખીને દીકરીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સંપત્તિને નવ બાળકોમાં સરખા ભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો.
જાેકે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ ર્નિણયોને રદ કરી દીધા હતા. ચુકાદો લખતા જસ્ટિસ ચંદ્રને સ્પષ્ટપણે કહ્યું કે, “વસિયત સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકી છે, તેમાં કોઈ હસ્તક્ષેપ કરી શકાય નહીં. શૈલા જાેસેફનો તેમના પિતાની સંપત્તિ પર કોઈ દાવો નથી, કારણ કે વસિયત દ્વારા આ સંપત્તિ અન્ય ભાઈ-બહેનોને સોંપવામાં આવી છે.” કોર્ટમાં શૈલાના વકીલે દલીલ કરી હતી કે તેમને ઓછામાં ઓછો ૧/૯ હિસ્સો મળવો જાેઈએ, જે સંપત્તિનો નજીવો ભાગ છે. પરંતુ બેન્ચે સ્પષ્ટ કર્યું કે, “અમે અહીં ન્યાયસંગત વહેંચણી (ઈૂેૈંઅ) પર નથી. વસિયત કરનારની ઇચ્છા સર્વોપરી છે. તેની અંતિમ વસિયતથી વિચલિત થઈ શકાય નહીં.” કોર્ટે એમ પણ ટિપ્પણી કરી કે, “અમે વસિયત કરનારની જગ્યાએ પોતાને મૂકી શકતા નથી. અમે અમારા વિચારો તેમના પર લાદી શકતા નથી; તેમની ઇચ્છા તેમના પોતાના કારણોથી પ્રેરાયેલી છે.” આ ચુકાદા સાથે, સુપ્રીમ કોર્ટે શૈલાના ભાગલાના દાવાને ફગાવી દીધો હતો.




