
‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ની પ્રિન્ટ કે ડિજિટલ કોપી હજુ પ્રકાશિત થઈ નથી: પ્રકાશક.પૂર્વ આર્મી ચીફ નરવણેએ પોતાના વિવાદી પુસ્તક અંગે આખરે મૌન તોડ્યું.પુસ્તક પ્રસિદ્ધ થતા પહેલા પ્રી-ઓર્ડર લેવામાં આવે છે અને તે પછી પુસ્તક બજારમાં આવે છે અને તેને પ્રકાશિત કહેવામાં આવે છે.મહાનગર મુંબઈના વિસ્તાર અને વિકાસી સીમાઓ સતત વધી રહી છે. મહારાષ્ટ્ર કેબિનેટે નવી મુંબઈની જેમ જ હવે અટલ સેતુ તરીકે ઓળખાતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કની નિકટના વિસ્તારોમાં ત્રીજું મુંબઈ બનાવવાનો ર્નિણય લીધો છે અને તે માટેની જમીન સંપાદન તથા ફાળવણી નીતિને મંજૂરી આપી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન માં આયોજિત નગરવિકાસ અને રોકાણને વેગ આપવાના હેતુથી આ નીતિ ઘડવામાં આવી છે.અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ નજીકના વિસ્તારોને વિકસાવવા માટે આ નીતિ લાગુ પડશે. સુનિયોજિત શહેરીકરણ, ઔદ્યોગિક રોકાણ, લોજિસ્ટિક્સ સુવિધાઓથી સજ્જ રહેણાક-વાણિજ્યિક માળખું વિકસાવવાની આ ર્નિણયમાં સ્પષ્ટ જાેગવાઈઓ છે. નવી પોલિસીમાં જમીન સંપાદનની કાર્યવાહી મહારાષ્ટ્ર રિજિયોનલ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૬૬ની કલમ ૧૨૬ અન્વયે પરસ્પર સંમતિથી અથવા તો લેન્ડ એક્વિઝિશન એક્ટની જાેગવાઈ હેઠળ વળતર ચૂકવીને હાથ ધરવામાં આવશે. જમીન સંપાદન બદલ મળનારા વળતરને ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ અથવા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (્ડ્ઢઇ) સ્વરૂપે ચૂકવવામાં આવશે. નવી નીતિમાં ૨૨.૫ ટકા લેન્ડ રિટર્ન પોલિસી અમલમાં આવશે. ખાનગી રોકાણકારોએ વાટાઘાટો મારફતે હસ્તગત કરેલી જમીન હશે તો અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવશે. ૨૫ ટકા સુધીના વિસ્તારમાં સીધા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી છે.
પૂર્વ આર્મી ચીફ એમ એમ નરવણેએ ડિસેમ્બર ૨૦૨૩માં કરેલી સોશિયલ મીડિયા પોસ્ટને ટાંકી વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ પુસ્તક ઉપલબ્ધ થઈ ગયું હોવાનું નરવણેએ જ કહ્યું હતું. પ્રકાશકના દાવા કરતાં પૂર્વ સૈન્ય વડાની વાત પર વધુ ભરોસો છે. રાહુલે કહ્યું હતું કે, નરવણેની ટ્વિટને તેમણે રજૂ કરી છે. તે સમયે નરવણે જૂઠ્ઠું બોલ્યા હશે, પરંતુ નરવણે પૂર્વ આર્મી ચીફ છે તેથી તેઓ ખોટું બોલે તેમ લાગતું નથી. અથવા પેન્ગ્વિન જૂઠ્ઠાણું ચલાવે છે. લેખક અને પ્રકાશક બંને સાચા હોઈ શકે નહીં.પ્રી-ઓર્ડર અને પ્રકાશિત પુસ્તક વચ્ચે ફરક છે: પ્રકાશકનો રાહુલ ગાંધીને જવાબ ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ના પ્રકાશક પેન્ગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા દ્વારા જણાવાયું હતું કે, પ્રી-ઓર્ડર માટે પુસ્તક પ્રાપ્ય હોવાની કોઈ પણ જાહેરાતને પુસ્તક પ્રકાશિત થયું હોવાનું કહી શકાય છે. રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૨૩માં નરવણે દ્વારા થયેલી પોસ્ટનો ઉલ્લેખ કર્યાે હતો. જેમાં નરવણેએ કહ્યું હતું કે, ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ હવે ઉપલબ્ધ છે. રાહુલ ગાંધીના આ દાવાનો ખુલાસો કરતાં પ્રકાશકે કહ્યું હતું કે, પેન્ગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પુસ્તક પ્રકાશનની કામગીરીને સમજવી જાેઈએ. પુસ્તકની જાહેરાત થાય, પુસ્તક પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ બને અને તેનું પ્રકાશન થાય તે પ્રક્રિયા છે અને તે એક સમાન નથી. પ્રકાશક દ્વારા પુસ્તક પ્રકાશનની તૈયારી બતાવાય ત્યારે તેની જાહેરાત થાય છે. પુસ્તક પ્રસિદ્ધ થતા પહેલા પ્રી-ઓર્ડર લેવામાં આવે છે અને તે પછી પુસ્તક બજારમાં આવે છે અને તેને પ્રકાશિત કહેવામાં આવે છે.




