
ચિંતા ના કરશો, હું તમારી સાથે છું : મોદી મમતા-ઉદ્ધવ ઠાકરેના બળવાખોર સાંસદોને PM મોદીનું આશ્વાસન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે જૂથથી અલગ થયેલા સાંસદો સાથે દિલ્હીમાં બ્રેકફાસ્ટ મીટિંગ યોજી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે જૂથથી અલગ થયેલા સાંસદો સાથે એક મહત્ત્વપૂર્ણ બ્રેકફાસ્ટ મીટિંગ યોજી હતી. આ બેઠક રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ તમામ સાંસદોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી. તેઓ હંમેશા તેમની સાથે છે. આ બેઠક દરમિયાન એનડીએને એક પરિવાર સમાન ગણાવ્યું હતું. સાંસદોને સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ સાંસદોને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે તેમણે સંસદીય ઇતિહાસને ઊંડાણપૂર્વક વાંચવો, જાણવો અને સમજવો જાેઈએ. સંસદમાં ઇતિહાસ સાથે જાેડાયેલું ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ ડિબેટ અને ચર્ચાની તૈયારી માટે અસરકારક રીતે કરવો જાેઈએ. તેમણે દરેક સાંસદને સંસદની ચર્ચાઓમાં સક્રિય અને મજબૂત ભૂમિકા ભજવવા માટે ખાસ આહ્વાન કર્યું હતું. જેથી જનતાના પ્રશ્નોને યોગ્ય વાચા આપી શકાય અને જનહિતના કાર્યોને વેગ મળી શકે.
આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ સાંસદોને પોતપોતાના રાજ્યોના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની સલાહ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે દેશના રાજ્યો આગળ વધશે, ત્યારે જ સમૂહમાં દેશનો પણ સાચો વિકાસ થશે. જાે વિકાસ પરિયોજનાઓ કે પ્રોજેક્ટ્સ સાથે જાેડાયેલી કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થાય, તો સાંસદો સીધા જ વડાપ્રધાન કાર્યાલય (PMO) નો સંપર્ક કરી શકે છે. જેથી તમામ પ્રકારની અડચણોને દૂર કરીને વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરી શકાય.
આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ દરેક સાંસદ સાથે વ્યક્તિગત રૂપે મુલાકાત કરી હતી અને તેમના સંસદીય ક્ષેત્ર તથા ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી મેળવી હતી. આ અનોખી મુલાકાત દરમિયાન તેમણે ધારાશિવના સાંસદ ઓમરાજે નિંબાલકર સાથે તેમના યોગ અભ્યાસ વિશે પણ ખાસ ચર્ચા કરી હતી. આ ઉપરાંત, મહારાષ્ટ્રના શિવસેના શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર જૂથના અનેક સાંસદો સાથે વડાપ્રધાન મોદીએ મરાઠી ભાષામાં પણ વાતચીત કરી હતી.




