
ઇન્ડિગો સંકટ મામલે રાહુલ ગાંધીનો આરોપ.સરકારની મેચ ફિક્સિંગ નીતિના કારણે સામાન્ય લોકો પરેશાન.ફરી એકવાર સામાન્ય ભારતીયોને વિલંબ, ફ્લાઇટ રદ અને લાચારીના રૂપમાં કિંમત ચૂકવવી પડી છે : કોંગ્રેસ.લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્ડિગો સંચાલનનાં સંકટ પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવતા કહ્યું કે, ઇન્ડિગોની નિષ્ફળતા સરકારની મેચ ફિક્સિંગનું પરિણામ છે. નોંધનીય છે કે, ૫૫૦થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને લખ્યું, ઇન્ડિગોની નિષ્ફળતા આ સરકારની મેચ ફિક્સિંગ નીતિનું પરિણામ છે. ફરી એકવાર સામાન્ય ભારતીયોને વિલંબ, ફ્લાઇટ રદ અને લાચારીના રૂપમાં કિંમત ચૂકવવી પડી છે.
ઇન્ડિગો દેશના એરલાઇન્સ માર્કેટમાં ૬૦% જેવો ઊંચો હિસ્સો ધરાવે છે. આમ, તે દેશની અગ્રણી એરલાઇન્સ કંપની છે, જે હાલમાં ઓછા સ્ટાફની મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ કારણસર ઇન્ડિગોની છેલ્લા ચાર દિવસમાં ૧૩૦૦થી વધુ ફ્લાઇટ રદ થઈ છે અને મોડી પડી છે. ઇન્ડિગો ખાસ કરીને ફ્લાઇટ ડ્યૂટીની મર્યાદા નક્કી કરનારા નવા હ્લડ્ઢ્ન્ (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) નિયમો લાગુ થયા બાદ ક્રૂની તીવ્ર અછત અનુભવી રહી છે.
સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) હરકતમાં આવ્યું છે. ડીજીસીએએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. હવે ડીજીસીએએ પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે, વિવિધ એરલાઇન્સ તરફથી આ મામલે સતત ફરિયાદો મળી રહી હતી. વિમાનોની અવરજવર રાબેતા મુજબ ચાલુ રાખવા અને મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાપ્તાહિક આરામ સંબંધિત આ આદેશ પાછો ખેંચી લેવાનો ર્નિણય લેવાયો છે, જે તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાનો રહેશે.




