
મફતની સંસ્કૃતિ ચૂંટણીમાં વિજય તરફ દોરી શકે છે, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણનું સાધન નથી ડી. સુબ્બારાવે એક લેખમાં ભારતીય રાજકારણમાં ચાલી રહેલી અવાસ્તવિક વચનોની સ્પર્ધા પર ચિંતા વ્યક્ત કરી. ભારતમાં ચૂંટણી દરમિયાન Freebies (મફતની ભેટો)ના રાજકારણે જે ગંભીર સ્વરૂપ લીધું છે, તેનાથી દેશના અર્થતંત્ર અને રાજકારણ પર થનારી નકારાત્મક અસરો અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે ચેતવણી આપી છે. પૂર્વ ગવર્નરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મફતની સંસ્કૃતિ ચૂંટણીમાં વિજય તરફ દોરી શકે છે, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણનું સાધન નથી. ડી. સુબ્બારાવે એક લેખમાં ભારતીય રાજકારણમાં ચાલી રહેલી અવાસ્તવિક વચનોની સ્પર્ધા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બિહારથી લઈને આંધ્રપ્રદેશ સુધીના ઉદાહરણો આપીને લખ્યું કે, રાજકીય પક્ષો અવાસ્તવિક રોકડ વચનો સાથે એકબીજાને પાછળ રાખવા માટે સતત સ્પર્ધા કરી રહ્યા છે. બિહારમાં દ્ગડ્ઢછએ મહિલાઓને ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવાનું વચન આપ્યું, જ્યારે વિપક્ષી મહાગઠબંધન તેનાથી પણ આગળ વધીને રાજ્યની દરેક મહિલાને ૩૦,૦૦૦ રૂપિયા અને દરેક પરિવારને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ વચનો અસત્યતાનો ભાવ ધરાવતા હતા, જાણે રાજકીય વર્ગે સામૂહિક રીતે બધી નાણાકીય ગણતરીઓ સ્થગિત કરી દીધી હોય. પૂર્વ ગવર્નરે ચેતવણી આપી કે મફત ભેટોની આ સંસ્કૃતિ આખરે ચૂંટણી જીત્યા બાદ સરકારો માટે મોટો પડકાર બની રહે છે. તેમણે લખ્યુ કે, જ્યારે રાજકીય પક્ષો પૈસા વહેંચે છે અથવા મોટી જાહેરાતો કરે છે, ત્યારે તેમની વાસ્તવિકતામાં અસર ઓછી થાય છે કારણ કે વ્યાપક સ્પર્ધાત્મક વચનો એકબીજાને તટસ્થ કરે છે. જ્યારે વચનો અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે છે, ત્યારે લોકો તેના પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે. તેમણે ચેતવણી આપી કે સૌથી મોટી સમસ્યા એ છે કે આવી ગેરંટી પર ચૂંટાયેલી સરકારો હવે તેમના વચનો પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહી છે, જે આખરે રાજ્યની તિજાેરી પર બોજ વધારે છે.




