
“એક દિન” ફિલ્મ ૧ મે, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.હું અરિજિત સિંહને મનાવવા નહી, ગીત ગવડાવવા ગયો હતો: આમિર.“એક દિન” માં જુનૈદ સાથે સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મનું દિગ્દર્શન સુનીલ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે.આમિર ખાને થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ સ્થિત તેમના ઘરે અરિજિત સિંહની મુલાકાત લીધી હતી. અફવાઓ ચાલુ રહી કે તેઓ ગાયકના નિવૃત્તિના ર્નિણયને બદલવાનો પ્રયાસ કરવા ગયા હતા.હવે આમિર ખાને સત્ય ઉજાગર કર્યું છે. તેમણે અરિજિતને મળવા પાછળનો પોતાનો સાચો હેતુ પણ સ્પષ્ટ કર્યાે. એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, આમિર ખાને અરિજિત સિંહના ઘરે જવાનું કારણ સમજાવ્યું, સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ ગાયકને પાછા ફરવા માટે સમજાવવાનો નહોતો.તેમને કહ્યું હું થોડા દિવસો પહેલા મુર્શિદાબાદ ગયો હતો. હું તેમને ગાયનમાંથી નિવૃત્તિ લેવાથી રોકવા માટે તેમના ઘરે ગયો ન હતો; હું ત્યાં બીજા કામ માટે હતો. જાેકે મેં તેમને તેમના ર્નિણય પર પુનર્વિચાર કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યાે, પરંતુ તે બધું નિરર્થક રહ્યું.
એવું લાગે છે કે તેમણે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું છે.આમિર ખાને અરિજિત સિંહને મળવાનું સાચું કારણ સમજાવતા કહ્યું, “હું ફિલ્મ ‘એક દિન’ માટે ગીતો રેકોર્ડ કરવા ગયો હતો. મેં કોઈક રીતે તેમને મારા માટે ગાવા માટે મનાવી લીધા. તે ફિલ્મમાં જુનૈદના પાત્ર માટે ગાય છે. ‘એક દિન’ તેમની જૂની પ્રતિબદ્ધતાઓમાંની એક છે, તેથી તેઓ તેને પૂર્ણ કરવા માંગતા હતા. અમારી ફિલ્મમાં કુલ પાંચ ગીતો છે, અને તેમણે પાંચેય ગાયા છે.”અરિજિત સિંહ વિશે વાત કરતાં, આમિર ખાને તેમને એક અદ્ભુત વ્યક્તિ કહ્યા. તેમણે એમ પણ કહ્યું, “તેમણે બધા ગીતો ખૂબ જ સારા ગાયા. ફિલ્મ ઉદ્યોગ માટે અને તેમના ગાયનના ચાહકો માટે આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે.” આમિરે જુનૈદની ફિલ્મ “એક દિન” માટે પાંચ ગીતો રેકોર્ડ કરવા બદલ અરિજિત સિંહનો પણ આભાર માન્યો.“એક દિન” માં જુનૈદ સાથે સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન સુનીલ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ આમિર ખાન અને અપર્ણા પુરોહિત દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧ મે, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.




