
રૂ.૨૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જેક્લીનની દલીલ ફેલ.હાલમાં આ મામલે કોઈ રાહત આપી શકાય નહીં અને અરજદાર યોગ્ય તબક્કે ફરી કોર્ટમાં આવી શકે છે : સુપ્રીમ.ઠગ સુકેશ ચંદ્રશેખર સંબંધીત રૂ.૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફનાર્ન્ડિસને દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમનો કેસ રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલમાં આ મામલે કોઈ રાહત આપી શકાય નહીં અને અરજદાર યોગ્ય તબક્કે ફરી કોર્ટમાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે, ‘તમારી પર એવોઆરોપ છે કે, તમને રૂ.૨૦૦ કરોડનો એક ભાગ ભેટ તરીકે મળ્યો હતો. અમે સમજીએ છીએ કે, કાયદો એવો છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ સામેલ થઈ શકે છે. જાે બે ખૂબ નજીકના મિત્રોમાંથી એક બીજાને કંઈક આપે અને પછી તેઓ કોઈ અપરાધ કરે, તો તે ખૂબ જ મુશ્કેલ છે. તેથી અમે કહીએ છીએ કે, સુપ્રીમ કોર્ટે વિજય મદનલાલના કેસના ચુકાદામાં તેના પર વિચારણા કરી છે.’
જેકલીનના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘જેકલીન ૨૦૦ કરોડના મની લોન્ડરિંગમાં સામેલ નથી. તેમને ખબર નહોતી કે સુકેશ ઠગ છે. જેકલીન એક ફિલ્મ સ્ટાર છે. સુકેશ ઠગ છે, જે જેલમાં છે અને તેના પર નકલી મંત્રી હોવાનો આરોપ છે. તે જેલમાંથી લોકોને ફોન કરે છે અને મંત્રી હોવાનું જેલમાં ન હોવાનું દેખાડો કરે છે. જેકલીન એક ધનિક મહિલા છે. અભિનેત્રીનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી.’ આ પહેલા જેકલીને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તેમની સામે નોંધાયેલો કેસ રદ કરવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ કોર્ટે કેસને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોપીએ ખરેખર ગુનો કર્યો છે કે નહીં, તે ર્નિણય ફક્ત નીચલી અદાલતમાં સુનાવણી દરમિયાન જ થઈ શકે છે. જેકલીન ફનાર્ન્ડિસે દિલ્હી હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેમના પર લગાવેલા તમામ આરોપો ખોટા છે અને તેમને સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઈતિહાસ વિશે કોઈ માહિતી નહોતી. સુકેશે તેમને મોંઘી ભેટો આપી હતી, પરંતુ તેનો મની લોન્ડરિંગ કેસ સાથે કોઈ સંબંધ નથી. જાેકે, સુપ્રીમ કોર્ટે પણ જેકલીનને આ મામલે કોઈ મોટી રાહત આપવાનો ઈનકાર કર્યો છે.
