
યુરોપ ટુર પેકેજાેના ભાવમાં ૧૦% સુધીનો તોતિંગ વધારો વેકેશન પર યુદ્ધનું ગ્રહણ ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું યુદ્ધને લીધે ટુરિસ્ટોએ ફરવાનું માંડી વાળ્યું છે. જેના લીધે ટુર ઓપરેટરોને અંદાજે રૂપિયા ૫૦૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું ઈઝરાયલ-અમેરિકા, ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગુજરાતના ટુર ઓપરેટરો આર્થિક રીતે ઘાયલ થયા છે. ખાડી દેશોમાં યુદ્ધને લીધે દુબઈ, તૂર્કીયે, ઓમાન ટુર તો હાલ બંધ છે. ઉનાળુ વેકેશનમાં દુબઈમાં ટુરિસ્ટોનું વધુ બુકિંગ થશે તેવી ધારણા ખોટી પડી છે. એટલું જ નહીં, ટ્રાવેલ્સ એજન્ટોએ દુબઈમાં હોટલ-રિસોર્ટમાં એડવાન્સ પેટે આપેલા લાખો કરોડો રૂપિયા પણ હાલ પૂરતા ભરાયા છે. ટુર ઓપરેટરોના મતે, યુદ્ધને લીધે ટુરિસ્ટોએ ફરવાનું માંડી વાળ્યું છે. જેના લીધે ટુર ઓપરેટરોને અંદાજે ૫૦૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.દુબઈ ગુજરાતી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ડેસ્ટિનેશન બની રહ્યું છે ત્યારે ગુજરાતના કેટલાય ટુર ઓપરેટરોએ ખાસ ડિસ્કાઉન્ટ આપીને દુબઈ ટુર પેકેજાેમાં બુકિંગ કર્યું હતું. પણ યુદ્ધને લીધે આખુંય ચિત્ર બદલાયું છે.
ઈરાને દુબઈ પર પણ હુમલા કર્યા છે આ જાેતાં ગુજરાતી પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ છે. ટુર ઓપરેટરોનું કહેવું છે કે, હાલ દુબઈ, તૂર્કીયે અને ઓમાનના ટુર પેકેજાેના બધાય બુકિંગ કેન્સલ થયા છે. હવે ટુરિસ્ટોએ ફરવા માટે સિંગાપુર, બાલી, વિયેતનામ, મલેશિયા જેવા દેશો પર પસંદગી ઉતારી છે.મહત્ત્વની વાત તો એ છે કે, યુદ્ધ વધુ ભીષણ બન્યું છે ત્યારે યુરોપ સહિત અન્ય દેશોની ફ્લાઈટ મિડલ ઈસ્ટ થઈને જતી હતી. હવે એતિહાદ, કતાર અને એમિરેટ્સ ફ્લાઈટ્સના શિડ્યુલ બદલાયા છે. સાથે ફ્લાઈટની સંખ્યા પણ ઓછી થઈ છે. આ જાેતાં હવે યુરોપ સહિત અન્ય દેશોમાં ફરવાનું મોંઘું થયું છે. તેમજ યુરોપ-અન્ય ટુર પેકેજાેના ભાવમાં ૧૦% સુધીનો વધારો કરી દેવાયો છે. યુરોપ ટુર પેકેજનો ભાવ ૩ લાખ હતો જે વધીને ૩.૨૫ લાખ થયો છે. સિંગાપુરની ટુરના ભાવ ૧.૧૫ લાખ હતા જે વધીને ૧.૩૦ સુધી પહોંચ્યો છે. વિવિધ દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે જેના કારણે સાઈટસીન મોંઘું થયું છે.યુદ્ધને લીધે વૈશ્વિક પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે ત્યારે ઘણાં પ્રવાસીઓએ વિદેશ પ્રવાસે જવાનું જ માંડી વાળ્યું છે જેના લીધે ટુર પેકેજાેના બુકિંગ રદ થયા છે. એટલું જ નહીં, ટ્રાવેલ્સ એજન્ટોની ઓફિસે ટુર ઇન્ક્વાયરી ઘટી ગઈ છે. હવે તો ટુર ઓપરેટરો યુદ્ધની સ્થિતિ થાળે પડે તેની કાગડોળે રાહ જાેઈ રહ્યા છે. જાે આ જ સ્થિતિ રહી તો, હજુ વધુ નુકસાન વ્હોરવાનો વારો આવશે.ઉનાળુ વેકેશન ટુ ઓપરેટરો માટે કમાણીની સીઝન હોય છે પણ આ વખતે યુદ્ધને પગલે ટુરિસ્ટોમાં ભયનો માહોલ છે. આમ છતાં રજાની મોજ માણવા માટે ઘણાં પ્રવાસીઓ ઉત્સુક છે. ટુર ઓપરેટરોનું કહેવું છે કે, કેરલા, કાશ્મીર, સિક્કીમ, રાજસ્થાન ગુજરાતી પ્રવાસીઓમાં ટોપ પર છે. આ વખતે લોકોએ ગ્રુપ બુકિંગ કરાવી ફરવા જવાનું મન બનાવ્યું છે. વિદેશ પ્રવાસે જવા કરતાં સ્થાનિકમાં જ વેકેશન માણવાનો ટ્રેન્ડ રહ્યો છે તેમ છતાં ડોમેસ્ટિક ટુર પેકેજાેમાં પણ ૨૦-૨૨% ઓછું બુકિંગ થયું છે. ટૂંકમાં, યુદ્ધને લીધે ટુર ઓપરેટરોની ઉનાળુ વેકેશનની સીઝન માથે પડે તેમ છે.




