
પ્રોહયાત બ્રિજને રીપેર કરી મજબૂત બનાવાશે.અમદાવાદના સુભાષબ્રિજની બંને તકફ નવા બ્રિજ બનાવાશે.અંદાજે રૂ.૨૫૦ કરોડના ખર્ચે પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે : બ્રિજના વિસ્તરણ માટે ૭ પિલર બનાવાશ.અમદાવાદશહેરના ટ્રાફિકથી ધમધમતા સુભાષબ્રિજને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સાબરમતી નદી પર આવેલા આ મહત્વના બ્રિજને હવે વધુ પહોળો અને મજબૂત બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંદાજે રૂ.૨૫૦ કરોડના ખર્ચે આ આખા પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે.
બ્રિજના વિસ્તરણ માટે નવા ૭ પિલર બનાવવામાં આવશે. જૂના પિલરનું સ્ટ્રેન્ધનીંગ (મજબૂતીકરણ) કરવામાં આવશે. હાલના બ્રિજના ઉપરના ભાગ (સુપર સ્ટ્રક્ચર)નું ડિમોલિશન કરીને તેનું સંપૂર્ણ રિસ્ટોરેશન કરવામાં આવશે.
શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને જાેડતા આ બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે અત્યારના બ્રિજની બંને બાજુએ બે નવી લેન એક્સટેન્ડ કરવામાં આવશે. આ વિસ્તરણ બાદ વાહનચાલકોને કુલ ૩૬ મીટર પહોળો રસ્તો મળશે, જેનાથી પીક અવર્સમાં થતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.
આગામી સોમવારે આ કામ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવશે. તંત્રનો લક્ષ્યાંક છે કે કામ શરૂ થયાના ૯ મહિનાની અંદર જ આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવે જેથી નાગરિકોને વહેલી તકે સુવિધા મળી રહે.
બ્રિજમાં તાજેતરમાં તિરાડો પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી, જેના કારણે સલામતીના કારણોસર તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજની ગંભીરતા તપાસવા માટે તંત્ર દ્વારા હાઈટેક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જાેકે, નિષ્ણાત એજન્સીઓ દ્વારા અગાઉ અપાયેલા પ્રાથમિક અહેવાલના આધારે જ આજની બેઠકમાં અંતિમ ર્નિણય લેવામાં આવ્યો છે.
બ્રિજ નિષ્ણાતો અને એન્જિનિયરિંગ એજન્સીઓએ કોર્પોરેશનને ત્રણ પ્રકારના ઉકેલો સૂચવ્યા હતા. પ્રથમ વિકલ્પ આખા બ્રિજને તોડીને નવો બનાવવો, બીજાે વિકલ્પ નબળા સ્પાન નીચે વધારાનો પિલર ઊભો કરી ટેકો આપવો અને ત્રીજાે વિકલ્પ હાલનું સ્ટ્રક્ચર હટાવી સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે. નિષ્ણાતોના મતે ૫૦ વર્ષ જૂના આ બ્રિજ માટે તેને તોડીને નવો બનાવવો એ જ લાંબા ગાળાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
સુભાષબ્રિજ અડધી સદી જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને હાલના સમયના ભારે ટ્રાફિકને સહન કરવા માટે સક્ષમ નથી. એજન્સીઓના રિપોર્ટ મુજબ, બ્રિજની ઉંમર પૂરી થઈ ગઈ હોવાથી તેના રીપેરીંગ પાછળ ખર્ચ કરવાને બદલે નવી ડિઝાઇન અને આધુનિક જરૂરિયાતો મુજબ વધુ પહોળો બ્રિજ બનાવવો અનિવાર્ય છે.
જાે કોર્પોરેશન નવો બ્રિજ બનાવવાનો ર્નિણય લેશે, તો સાબરમતી નદીના બારેમાસ ભરેલા પાણી વચ્ચે બાંધકામ કરવું એ સૌથી મોટી ટેકનિકલ ચેલેન્જ હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અંદાજે દોઢ થી બે વર્ષનો સમય લાગી શકે છે. નવો બ્રિજ સંપૂર્ણપણે આધુનિક સુવિધાઓ અને વધુ ટ્રાફિક ક્ષમતા ધરાવતો હશે, જે શહેરની આગામી દાયકાઓની જરૂરિયાતોને પૂરી કરશે.




