
BKTC સમિતિ બેઠકમાં રાખશે પ્રસ્તાવ બદરી કેદારનાથ ધામમાં વિશેષ પૂજા માટે ફી વધારવાની તૈયારીઓ બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ અંતિમ ર્નિણય લેવામાં આવશે
ઉત્તરાખંડમાં આગામી ચારધામ યાત્રા પહેલા બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં વિશેષ પૂજા ફી વધારવાની તૈયારીઓ ચાલી રહી છે.
બદ્રી-કેદાર મંદિર સમિતિની બોર્ડ મીટિંગમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ અંતિમ ર્નિણય લેવામાં આવશે.
દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં દર્શન માટે આવે છે. સામાન્ય દર્શન માટે કોઈ ફી લેવામાં આવતી નથી. જાેકે ખાસ પૂજા માટે ફી લેવામાં આવે છે, જે અગાઉ BKTC દ્વારા નક્કી કરવામાં આવી હતી. જાેકે, આ પૂજા માટે ફી હવે વધારી શકાય છે.
કેદારનાથ ધામમાં, રૂદ્રાભિષેક પૂજા માટે હાલમાં પાંચ ભક્તો માટે ૭,૨૦૦ સુધીની ફી લેવામાં આવે છે. અભિષેક પૂજા માટે ૯,૫૦૦, લઘુ રુદ્રાભિષેક પૂજા માટે ૬,૧૦૦ અને ષોડશોપચાર પૂજા માટે ૫,૫૦૦ લેવામાં આવે છે. અષ્ટોપચાર પૂજા માટે પાંચ ભક્તો માટે ૯૫૦ ફી લેવામાં આવે છે, જ્યારે આખા દિવસની પૂજા માટે ૨૮,૬૦૦ ફી નક્કી કરવામાં આવે છે.
તેમજ, બદ્રીનાથ ધામમાં ખાસ પૂજા માટે ફી પહેલાથી જ નક્કી કરવામાં આવી છે. બદ્રીનાથ ધામમાં, મહાભિષેક પૂજા માટે ફી પ્રતિ ભક્ત ૪,૭૦૦ અને અભિષેક પૂજા માટે ૪,૫૦૦ છે. આખા દિવસની પૂજા માટે ફી ૧૨,૦૦૦ છે, અને શ્રીમદ્ ભાગવત પાઠ માટે ૫૧,૦૦૦ છે.
BKTC એ હવે આ ખાસ પૂજા માટે ફી વધારવાની તૈયારી કરી છે. સમિતિ દ્વારા ટૂંક સમયમાં બોર્ડ મીટિંગમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જે પછી પ્રસ્તાવ પર વિચાર કરશે.
જાે સંમતિ આપવામાં આવે તો, આગામી યાત્રા દરમિયાન ખાસ પૂજા માટે ફી વધારવાના ર્નિણયને મંજૂરી મળી શકે છે. જાેકે, સામાન્ય દર્શન વ્યવસ્થા પહેલાની જેમ મફત રહેશે.
આ વર્ષની ચારધામ યાત્રા ૧૯ એપ્રિલથી શરૂ થઈ રહી છે. ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પહેલા ખુલશે. કેદારનાથ ૨૨ એપ્રિલે અને બદ્રીનાથ ૨૪ એપ્રિલે ખુલશે.




